Skip to main content

Posts

તમારા બિમાર શરીરના બદલાયેલ સ્વભાવને થોડો સમજો

Health is the first step in life. બિમારીમાં શરીર બહુ ઓછો ખોરાક જ સંભાળી શકે છે. આ મર્યાદા જાળવી રાખવાજ શરીર આંતરિક અડચણો ઉભી કરી આપણે વધુ ખાતા રોકે છે.પણ ''નથી ભાવતુ-નથી ભાવતું'' કરીને અજાણ્યા અને આડાઅવળા ખોરાકથી પેટ ભરી લેવાય ત્યારે શરીરની સાજા થવાની શકિત અને ઝડપ વધવાને બલે ઝડપથી ઘટવા લાગે છે બિમારી દરમ્યાન થતી શરીરની દરેક   હલચલ આપણા અકિલા સારા માટેજ થતી હોય છે પછી ભલે તેમાંની થોડીજ ગમતી હોય અને બાકીની જરાપણ ગમતી ના હોય. બધાનો સ્વીકારજ આપણી સહનશકિતમાં અને   સાજા થવાની ઝડપમાં વધારો કરી શકે છે દરેક સેલને શરીરનો નકશો અને અંગોની પુરેપુરી અકીલા જાણકારી શરીરે આપેલી હોય છે. શરીર હુકમ કરે ત્યારે, સંકટ   સમયે દરેક સેલ ઉભી થયેલી મુશીબતમાં સીધી કે આડકતરી મદદ કરીને  જીવને બચાવી લે છે. દરેક સેલ અને અંગો પોતાને સોપાયેલ કામો સમજીવિચારીને, ચીવટપૂર્વક અને હોશીયારીથી કરતા હોવાથી શરીરને પોતાના કામોમાં આપણી કોઇ મદદની જરૂર પડતી નથી. હવા-પાણી-ખોરાકના સંપર્કમાં આવતા ઉત્પન્ન થતાં રાસાયણીક એકશન -રીએકશનના ફોર્સથી શરીર પોતાના બધા કામ કરી લે છે. કામો સરળતાથી ઓછા ખર્ચે અને સ...

વાયુ પ્રદૂષણ અને મગજના રોગો

Health is the first step in life. હવાના પ્રદૂષણને ખૂબ જ ગંભીરતાથી લેવું જોઈએ અને એની અસરથી થતા મગજના રોગો વિષે વધુને વધુ જાગરૂકતા લાવવી જોઈએ. તાજેતરના એક અંદાજ મુજબ “વાયુ પ્રદૂષણ”ને લીધે વિશ્વભરમાં દર વર્ષે નેવું લાખ લોકોના મૃત્યુ થાય છે. જેના કારણોમાં મુખ્યત્વે હૃદય રોગનો હુમલો, મગજના ગંભીર રોગો, ફેફસાના રોગો અને કેન્સર જવાબદાર છે. વાયુનું પ્રદૂષણ એ હાનિકારક રસાયણિક (કુદરતી અને માનવસર્જિત) , જૈવિક (બાયોઅરોસોલ્સ) અને કેટલાક રજકણીય પદાર્થોથી થાય છે, જે માનવી અને અન્ય જીવસૃષ્ટિને હાનિ પહોંચાડે છે, તે ઉપરાંત વાતાવરણના પ્રાકૃતિક પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે. જ્યારે કેટલાક વાયુ પ્રદૂષણના સ્ત્રોતો કુદરતી હોય છે જેમ કે જ્વાળામુખી ફાટવો, દાવાનળ, આગ,પરંતુ મોટાભાગના માનવસર્જિત હોય છે. આધુનિકતાની સાથે દહનીય અશ્મિભૂત ઇંધણનો વપરાશ ખુબજ વધ્યો છે, એ સિવાય વનનાબૂદી, પશુપાલન અને ખેતીવાડી વગેરે વાયુ પ્રદૂષણના  માનવસર્જિત સ્ત્રોતો છે. શું વાયુ પ્રદૂષણથી મગજના ગંભીર રોગો થઇ શકે છે? “ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ”ના હાલના એક અભ્યાસ મુજબ વાયુ પ્રદૂષણ લકવા એટલે કે પક્ષઘાત માટેના પરિબળોમાં ૩૦ ટકા જે...

ડિપ્રેશન વિશે જાણવા જેવું

Health is the first step in life. એ વાત જાણીને આપને આંચકો લાગશે કે યુવાનોની આત્મહત્યાના સંદર્ભમાં ભારત પહેલો ક્રમ ધરાવે છે એવું WHOએ ગયા વર્ષે જાહેર કર્યું. આ અંદાજ પ્રમાણે વિશ્વમાં દર વર્ષે ૮ લાખ લોકો આપઘાત કરીને જીવન ટૂંકાવે છે. અને એમાં અઢી લાખ આપઘાત સાથે ભારત પહેલું સ્થાન ભોગવે છે. એનો અર્થ એ કે ભારતમાં એક દિવસમાં ૭૦૦ આત્મહત્યા થાય છે જેના મૂળમાં મુખ્યત્વે ડિપ્રેશન હોય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો મુજબ ૨૦૦૪-૨૦૧૪ના વર્ષ દરમિયાન દર વર્ષે એવરેજ ૧ લાખ લોકો આત્મહત્યા કરે છે. અને ૨૦૦૪ની સરખામણીમાં ૨૦૧૪ આ આત્મહત્યા ૧૬ ટકા જેટલી વધી છે. ૨૦૦૪માં ૧,૧૩,૬૯૭ ઓફિશ્યલ કેસ નોંધાયા હતા. જે ૨૦૧૪માં ૧,૩૧,૬૬૬ સુધી પહોંચ્યા હતા. અલબત્ત, ભારતના સરકારી આંકડા જણાવે છે કે રોજે સરરેશા ૩૭૫ જેટલા આપઘાત થાય છે. ૨૦૧૪ના વર્ષમાં ગુજરાતમાં જ ૭,૨૨૫ આપઘાત નોંધાયા છે. ભારતના કુલ આપઘાતમાં ગુજરાતની હિસ્સેદારી ૫.૫ ટકા છે. ગયા વર્ષે ભારતમાં ૧૮ થી ૩૦ વર્ષની વય વચ્ચેના કુલ ૪૪,૮૮૩ લોકોએ આત્મહત્યા કરી હતી. એમાં અભ્યાસમાં નિષ્ફળતાથી માંડીને બેરોજગારી તેમજ રિલેશનશિપના બધા મુદ્દાઓ આવી જાય છે. આપઘાત માટેનો જે નિરાશાજન...

યુવાનોમાં વધતા સ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરાય

Health is the first step in life. હમણાં જ વર્લ્ડ ઈન્ટરનેશનલ યુથ ડે ગયો. યુવાનોની શક્તિઓની સાથે સમસ્યા પણ વધતી જાય છે. ખાસ કરીને આજનો યુવાન સાયકોલોજીકલી વધુ ચિતિંત અને કન્ફ્યૂઝ્ડ છે. દિવસે અને દિવસે તણાવ અને ડિપ્રેશન વધતા જાય છે. માત્ર ભારતમાં સાડા છ કરોડથી વધારે ડિપ્રેશનના દર્દીઓ છે, એવું WHOનું કહેવું છે. ભાગ્યે જ કોઇ એવો યુવાન કે જે એમ કહી શકે કે મને બિલકુલ સ્ટ્રેસ નથી. આજે મારે સાયકોલોજીસ્ટ પાસે જતા સ્ટ્રેસને લગતા એક કેસ વિશે વાત કરવી છે. ચાલો, એક કિસ્સો જોઇએ. ‘તમે એવું કંઇક માઇન્ડ પ્રોગ્રામિંગ કરી આપો ને કે જેથી મારી બધી જ ઈચ્છાઓ ઝડપથી પૂરી થઇ જાય. યુ નો? મારે મારા મિત્રોને બતાવી આપવું છે કે ગમે તેટલી મંદી હોય છતાં હું પણ કંઇ કમ નથી.' નિશિથ બોલ્યો. ઉંમર-બાવીસ વર્ષ. વ્યવસાય- ઇન્વેસ્ટમેન્ટ. લગ્ન- કન્યાનું ઇકોનોમિકલ બૅકગ્રાઉન્ડ જોઇને જ! નિશિથને છેલ્લા કેટલાય વખતથી ગભરામણ બેચેની, હૃદયમાં ભારેપણું, ભૂખ ઓછી લાગવી, ઊંઘમાં તકલીફો, તમાકુની પડીકીઓ વધી જવી વગેરે ફરિયાદો હતી. નિશિથે ચોક્કસ ‘ટારગેટ્‌સ' નક્કી કર્યા હતા. ફલાણી તારીખે મારે આ જ વસ્તુ ખરીદવી છે. આ તારીખે મારે મૅબેક કાર જો...

વહેલી ઓટિઝમની સારવારથી બાળકની ક્વોલિટી ઓફ લાઇફમાં સુધારો

Health is the first step in life. 5 વર્ષની વય પહેલાં ઓટિઝમની સારવાર શરૂ કરાય તો બાળકની ક્વોલિટી ઓફ લાઇફ સુધરે છે બાળક પરિવારમાં ભળે નહીં, પોતે બોલે નહીં અને બોલો તો સમજે પણ નહીં, બાળક એક જ જગ્યા ઉપર બેસી રહે વગેરે જેવા અજુકતા વર્તન કરે તો સમજો કે તેને કંઈક માનસિક તકલીફ છે. આ બાળક ઓટિસ્ટિક હોઈ શકે છે. એક અંદાજ મુજબ વિશ્વ આખામાં ૬૮ બાળકે એક ઓટિસ્ટિક બાળકનો જન્મ થાય છે. ઓટિઝમમાં બાળક જેટલું નાનું હોય તેટલા બાળકોમાં સારવાર બાદ સારા પરિણામો મળી શકે છે. બાળકમાં દોઢથી ચાર વર્ષની વય દરમિયાન ઓટિઝમનું નિદાન થઈ જાય અને તેની પાંચ વર્ષની વય પહેલાં યોગ્ય સારવાર શરૂ કરી દેવાય તો તેની ક્લોવિટી ઓફ લાઈફ સુધારી શકાય છે. ઓટિઝમના મુદ્દે ફેલાયેલી ગેરસમજો અથવા તો જાગૃતિના અભાવને લીધે માતા-પિતા લાંબા સમય સુધી મૂંઝવણ અનુભવ્યા કરે છે અને સમાજમાં પોતાનું બાળક હલકું પડી જશે તેવી બીકને લીધે તેની સમસ્યાઓ વિશે ખુલીને કોઈની સાથે વાતચીત કરતા નથી અને બાળકનો ઈલાજ શરૂ કરવાનો પાંચ વર્ષની વય પહેલાનો ગોલ્ડન પિરિયડ ગુમાવી દે છે. ઓટીઝમ એ મગજના વિકાસ દરમિયાન થતી તકલીફ છે. ઓટિઝમનું પ્રમાણ છોકરીઓ કરતા છોકરાઓમાં ચાર ગણું ...

ઈન્ટરનેટનું વ્યસન

Health is the first step in life. ઈન્ટરનેટ પણ એક ગજબ નુ વ્યસન છે જેને લત લાગી જાય એ ઈન્ટરનેટ વગર નથી રહી શકતા, જાણી લો એના લક્ષણો: તબીબી અભિપ્રાય એ વ્યક્ત કરવામાં આવે છે કે શું ઈન્ટરનેટની વ્યસન તેના પોતાના અધિકારમાં માનસિક વિકાર તરીકે અસ્તિત્વ ધરાવે છે કે પછી તે પૂર્વ-અસ્તિત્વમાં રહેલા માનસિક વિકૃતિઓ અથવા વર્તણૂક સમસ્યાઓનું અભિવ્યક્તિ છે. ઉદાહરણ તરીકે, એક એવી વ્યક્તિ કે જે ઈન્ટરનેટની જુગાર માટે ઈન્ટરનેટ લેવલને બદલે જુગારની સમસ્યાને લલચાવી શકે છે. પોતાના શોખ મુજબ લોકો ઈન્ટરનેટ નો ઉપયોગ કરે છે પણ ધીમે ધીમે એની આદત પડી જાય છે. શરાબી ને શરાબ, જુગારી ને જુગાર, એમાં ઈન્ટરનેટ user ને પણ ઈન્ટરનેટ ની લત લાગી જાય છે. કોઈ પણ નિર્ણાયક જવાબો ઓળખાય તે પહેલાં ઇન્ટરનેટની વ્યસનના આ ‘ચિકન અથવા ઇંડા’ પાસામાં વધુ સંશોધન જરૂરી છે. યુએસએના તાજેતરના એક અભ્યાસમાં દર્શાવ્યું હતું કે 18 થી 20 વર્ષની વયના કોલેજ (યુનિવર્સિટી) વિદ્યાર્થીઓમાં ચાર ટકાએ સમસ્યાવાળા ઇન્ટરનેટ વર્તન દર્શાવ્યું હતું. કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ખાસ કરીને વ્યસન માટે સંવેદનશીલ હોઇ શકે છે, તેમ છતાં, વિદ્યાર્થીઓમાં ઈન્ટરનેટની ...

વ્યસન એક ગંભીર માનસિક

Health is the first step in life. વ્યસનના સામાન્ય લક્ષણોને ઓળખો વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વેક્ષણ પ્રમાણે દરેક ૧૦ મિનિટમાં એક યુવાન કોઈપણ પ્રકારના વ્યસનને વળગે છે. દર 10માંથી 4 યુવાન કોઈ પ્રકારના વ્યસની પદાર્થનું સેવન કરે છે જેમાંથી ૩ યુવાન એને વળગી રહે છે. સતત સંતાઈ ને રેહવું અને કોઈ ને પોતાની નજીક ના આવા દેવું, સામાજિક જવાબદારી ટાળવી. વધારે પડતો પૈસા નો ખર્ચો કરવો અને વારંવાર પૈસા માંગવા.. અચાનક સ્વભાવ ચીડિયો થઇ જવો. . સ્કૂલ/કોલેજ માં હાજરી ઓછી થવી.. ભણવામાં અનિયમિતતા અથવા પરીક્ષાનું પરિણામ કથળવું.. ગુપ્ત વર્તન કરવું અને ચોક્કસ મિત્રો સાથે ફરવું. . ઊંઘ કે ખોરાક માં ફેરફાર થવા. . નાહવાનું કે બીજી પ્રવૃત્તિ ટાળવી. . બહાર થી આવે ત્યરે તેના માં થી ચોક્કસ ગંધ આવવી કે વર્તન માં ફેરફાર.. આખો લાલ રેહવી કે હાથ માં ધ્રુજારી થવી. ડિપ્રેશન, બાયપોલર ડિસઓર્ડર, ચિંતારોગ, ફોબિયા કે સ્કિઝોફ્રેનિયા જેવા માનસિક રોગ વિશે આપણે હવે ઘણું બધું જાણીયે છીએ અને મોટા ભાગે તો આ રોગ ના દર્દીઓ મનોચિકિત્સક પાસે સારવાર માટે આવતા હોય છે. પણ જો કોઈ માનસિક રોગ વિશે સૌથી વધારે બેદરકારી સમાજ માં છે તો એ ...