Skip to main content

ગર્ભાવસ્થામાં થતી શરદી – ઉધરસ રોકવાની ટિપ્સ

ગર્ભાવસ્થાના સમય દરમિયાન, સ્ત્રીનું શરીર પરિવર્તન હેઠળ રહે છે. કેટલીક મહિલાઓને વધતો બેબી-બમ્પ અને શરીરમાં વધતા વજનનો થી ટેવાઇ જવું મુશ્કેલ લાગે છે. ઉધરસ અને શરદી એક સામાન્ય બીમારી છે, તેમ ઘણા લોકો વિચારે છે. તેના કેટલાક લક્ષણો ઇજાગ્રસ્ત ગળા, વહેતું નાક,થાક, સતત છીંક આવવી વગેરે હોય છે.
શરદીનો ચેપ તમારી ગર્ભાવસ્થા દરમિયાન જોખમી બને શકે છે. ઉધરસના આંચકા પણ વધી જાય તો તમને જોખમી સ્થિતિમાં મૂકી શકે છે. તેના કારણે કંઇપણ નુકશાન થાય તે પહેલા ઉધરસ અને શરદી બંનેને અટકાવા માટે પગલાં લેવા વધારે જરૂરી છે.

ફ્લૂની રસી લો

શરદી રોકવા માટે કોઇ ગેરેન્ટેડ તબીબી રીત નથી. ગર્ભાવસ્થા દરમિયાન કોઇપણ સમયે અથવા છેલ્લા મહિનાઓમાં તે નુકશાન કરી શકે. ફ્લૂ શોટ લેવાથી બાળકને કોઇપણ રીતે નુકશાન કરશે નહીં ગર્ભાવસ્થા દરમિયાન તે સંપૂર્ણપણે સલામત છે.

હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરો

હાથ નિયમિત રીતે ધોવા જોઇએ. જ્યારે બહાર હાથ ધોવાનું શક્ય ન હોય, તો તમે સેનેટાઇઝરનો ઉપયોગ કરો. સેનેટાઇઝરમાં આલ્કોહોલનું પ્રમાણ ભારે વાયરસના ફેલાવાને ઘટાડે છે. આલ્કોહોલની ગંધ ન ગમતી હોય, તો આલ્કોહોલ-ફ્રી સેનેટાઇઝર પસંદ કરો.

પ્રવાહીની માત્રા વધારો

પ્રવાહી શરીરમાંથી ઝેરને બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે, પ્રવાહીમાં ફક્ત પાણી જ નહીં ફળોનો રસનો પણ સમાવેશ થાય છે.

સંતુલિત આહાર

ખોરાક ઉધરસ અને શરદીને સરળતાથી અટકાવે છે, તે જુઓ કે તમે તમારા ખોરાકમાં તમામ વિટામિન્સ, ખનીજો અને એન્ટિઓક્સિડન્ટસનો સમાવેશ થાય છે, જે રોગપ્રતિકારક તંત્રને વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. ખાંડવાળી વાનગી ખાવાની ટાળો.

તણાવના સમયે

તણાવ હેઠળ તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય તેથી બીમારીનો ભોગ ઝડપથી બની શકો છો, તેથી શારીરિક અને માનસિક રીતે ભાર રાખવો નહીં, આ દિવસોમાં મહિલાએ ખાસ આરામ કરવો જોઇએ. ધ્યાન અને ઊંડા શ્વાસની કસરતો કરીને તાણ અસરકારક રીતે ટાળી શકાય છે.

ઉધરસ સાથે લોકોથી દૂર રહો


જો તમારી આસપાસની કોઇ વ્યક્તિને શરદી કે ઉધરસ થઈ હોય તો, જ્યાં સુધી તેઓ સારવાર ન કરે ત્યાં સુધી તેમનાથી દૂર રહો, દૂર રહેવું અસરગ્રસ્ત વ્યક્તિ સાથે કંઇપણ શેર ન કરવું જરૂરી છે.

Comments

Popular posts from this blog

સ્વલીનતા સ્પેક્ટ્રમ વિકૃતિ-ઓટિઝમ

Health is the first step in life. પરિચય સ્વલીનતા સ્પેક્ટ્રમ વિકૃતિ (ASD) એ સામાજિક અસમાનતા,વાતચીતમાં મુશ્કેલી અને વર્તન પ્રતિબંધિત,પુનરાવર્તિત,ચીલાચાલુ પદ્ધતિ દ્વારા વર્ગીકૃત થયેલી,જ્ઞાનતંતુના વિકાસની જટિલ વિકૃતિમાં વિભાજીત થયેલી શૃંખલા છે.તે મગજનો એક વિકાર છે જેમાં ખાસ કરીને વાતચીત કરતી વખતે એક વ્યક્તિની ક્ષમતાને અસર કરી શકે છે.સ્વલીનતા સ્પેક્ટ્રમ વિકૃતિ એ બાળપણથી શરૂ થાય છે અને તે યુવાવસ્થાના અંત સુધીના સમયગાળા સુધી થઈ શકે છે. સ્વલીનતા સ્પેક્ટ્રમ વિકૃતિના પ્રકારો આ પ્રમાણે છે : સ્વલીનતાની વિકૃતિ (તેને “પારંપરિક” સ્વલીનતા પણ કહે છે) : આ સ્વલીનતાનું સૌથી સામાન્ય સ્વરૂપ છે.ખાસ કરીને સ્વલીનતાની વિકૃતિ લોકોને બોલવામાં અવરોધ કરે,સામાજિક અને વાતસંવાદમાં પડકારરૂપ અને રસપ્રદ બને છે.આ વિકૃતિ સાથે ઘણા બધા વ્યક્તિઓને વિકલાંગતા આવી શકે છે. એસ્પેરિજર સિન્ડ્રોમ : એસ્પેરિજર સિન્ડ્રોમથી પીડાતાં વ્યક્તિઓ ઓછી માત્રામાં ઓટીસ્ટીક વિકૃતિના લક્ષણો અનુભવે છે.તેઓને સામાજિક પડકારો અને અસમાન્ય વર્તણુક અને રસના વિષયો હોઈ શકે છે.તેમ છતાં સામાન્ય રીતે તેઓને ભાષાકીય અથવા બૌધિક વિકલાંગતા સાથેની સમસ્યાઓ ...

ગર્ભપાત

Health is the first step in life. https://ladiesplans.blogspot. com/               પ્રાસ્તાવિક ગર્ભપાત કેટલીકવાર ગર્ભાવસ્થા સમાપ્તિ તરીકે ઓળખાય છે, જે સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની તબીબી પ્રક્રિયા છે જેના પરિણામે બાળકનો જન્મ થતો નથી.ગર્ભપાત કરાવવાનો નિર્ણય મુશ્કેલ છે. તમે ગર્ભપાત કરાવવાનું શા માટે નક્કી કરો છો તેનાં ઘણાં કારણો છે - ઉદાહરણ તરીકે, તમારા વ્યકિતગત સંજોગો, તમારા આરોગ્યનું જોખમ, અથવા તમારા બાળકને કોઈક તબીબી પરિસ્થિતિ ઊભી થાય તેવી તક હોઇ શકે. ઘણાં લોકો ગર્ભપાત અંગે (તરફેણમાં અને વિરુદ્ધમાં) જલદ અભિપ્રાયો ધરાવે છે. તમામ મંતવ્યોને આદર આપવો જોઈએ, યુ.કે.માં સગર્ભાવસ્થાનાં પ્રથમ 24 અઠવાડિયા દરમિયાન ગર્ભપાત કરાવવો કાયદેસર છે, પરંતુ તે અંગે કેટલાક માપદંડો પરિપૂર્ણ કરવાના હોય છે.તમે NHS પર, કે ખાનગી રીતે ગર્ભપાત કરાવી શકો છો (NHS ખાનગી ગર્ભપાતો માટે નાણાં આપતું નથી). યુ.કે.ના કાયદા અન્વયે, તમારી પાસે બે ડોકટરોનો સંદર્ભ હોવો જોઈએ, જેઓ તમારા સંજોગો માટે ગર્ભપાત યોગ્ય છે તે અંગે સંમત હોવા જોઈએ. કાર્યપદ્ધતિ હોસ્પિટલમાં, કે નિષ્ણાત લાયસન્સયુક્ત દવાખાના...

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...