Skip to main content

ગર્ભાવસ્થામાં થતી શરદી – ઉધરસ રોકવાની ટિપ્સ

ગર્ભાવસ્થાના સમય દરમિયાન, સ્ત્રીનું શરીર પરિવર્તન હેઠળ રહે છે. કેટલીક મહિલાઓને વધતો બેબી-બમ્પ અને શરીરમાં વધતા વજનનો થી ટેવાઇ જવું મુશ્કેલ લાગે છે. ઉધરસ અને શરદી એક સામાન્ય બીમારી છે, તેમ ઘણા લોકો વિચારે છે. તેના કેટલાક લક્ષણો ઇજાગ્રસ્ત ગળા, વહેતું નાક,થાક, સતત છીંક આવવી વગેરે હોય છે.
શરદીનો ચેપ તમારી ગર્ભાવસ્થા દરમિયાન જોખમી બને શકે છે. ઉધરસના આંચકા પણ વધી જાય તો તમને જોખમી સ્થિતિમાં મૂકી શકે છે. તેના કારણે કંઇપણ નુકશાન થાય તે પહેલા ઉધરસ અને શરદી બંનેને અટકાવા માટે પગલાં લેવા વધારે જરૂરી છે.

ફ્લૂની રસી લો

શરદી રોકવા માટે કોઇ ગેરેન્ટેડ તબીબી રીત નથી. ગર્ભાવસ્થા દરમિયાન કોઇપણ સમયે અથવા છેલ્લા મહિનાઓમાં તે નુકશાન કરી શકે. ફ્લૂ શોટ લેવાથી બાળકને કોઇપણ રીતે નુકશાન કરશે નહીં ગર્ભાવસ્થા દરમિયાન તે સંપૂર્ણપણે સલામત છે.

હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરો

હાથ નિયમિત રીતે ધોવા જોઇએ. જ્યારે બહાર હાથ ધોવાનું શક્ય ન હોય, તો તમે સેનેટાઇઝરનો ઉપયોગ કરો. સેનેટાઇઝરમાં આલ્કોહોલનું પ્રમાણ ભારે વાયરસના ફેલાવાને ઘટાડે છે. આલ્કોહોલની ગંધ ન ગમતી હોય, તો આલ્કોહોલ-ફ્રી સેનેટાઇઝર પસંદ કરો.

પ્રવાહીની માત્રા વધારો

પ્રવાહી શરીરમાંથી ઝેરને બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે, પ્રવાહીમાં ફક્ત પાણી જ નહીં ફળોનો રસનો પણ સમાવેશ થાય છે.

સંતુલિત આહાર

ખોરાક ઉધરસ અને શરદીને સરળતાથી અટકાવે છે, તે જુઓ કે તમે તમારા ખોરાકમાં તમામ વિટામિન્સ, ખનીજો અને એન્ટિઓક્સિડન્ટસનો સમાવેશ થાય છે, જે રોગપ્રતિકારક તંત્રને વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. ખાંડવાળી વાનગી ખાવાની ટાળો.

તણાવના સમયે

તણાવ હેઠળ તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય તેથી બીમારીનો ભોગ ઝડપથી બની શકો છો, તેથી શારીરિક અને માનસિક રીતે ભાર રાખવો નહીં, આ દિવસોમાં મહિલાએ ખાસ આરામ કરવો જોઇએ. ધ્યાન અને ઊંડા શ્વાસની કસરતો કરીને તાણ અસરકારક રીતે ટાળી શકાય છે.

ઉધરસ સાથે લોકોથી દૂર રહો


જો તમારી આસપાસની કોઇ વ્યક્તિને શરદી કે ઉધરસ થઈ હોય તો, જ્યાં સુધી તેઓ સારવાર ન કરે ત્યાં સુધી તેમનાથી દૂર રહો, દૂર રહેવું અસરગ્રસ્ત વ્યક્તિ સાથે કંઇપણ શેર ન કરવું જરૂરી છે.

Comments

Popular posts from this blog

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હ...