Skip to main content

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life.

અ.નં.
વિગતો
યોજનાનું નામ / પ્રકાર
:
રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ
યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ
(૧)
રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.
(૨)
પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે.
(૩)
વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે.
-          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ
-          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા
-          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત
યોજના અંતર્ગત સહાય/લાભ
(૧)
રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.
(ર)
પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રોસેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વર્ષમાં બે વાર વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે.
(૩)
વિકૃતિ ધરાવતા રકતપિત્તગ્રસ્‍તોને વિકૃતિ દૂર કરવા માટે રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય સેન્‍ટર ખાતે  કરાવી આપવામાં આવે છે. આ માન્ય સેન્ટર ખાતે  મેજર રીકન્સ્ટ્રકટીવ સર્જરી કરાવનાર રકતપિત્તગ્રસ્તને  રૂ.૮૦૦૦/- તેમજ રીકન્સ્ટ્રકટીવ સર્જરી કરી આપનાર માન્ય સેન્‍ટરને મેજર સર્જરી દીઠ રૂ.૫૦૦૦/- ચુકવવામાં આવે છે.
(૪)
રકતપિત્તગ્રસ્‍તોને રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્‍યારથી હોસ્‍પિટલમાંથી ડીસચાર્જ થાય ત્‍યાં સુધી વેજલોસ દૈનિક રૂ.૫૦/- મહત્તમ ૨૦ દિવસ સુધી ચુકવવાની જોગવાઇ છે.
(પ)
સ્‍વૈ.સંસ્‍થાઓ સંચાલિત ૨ હોસ્‍પિટલોને દર્દીની સંખ્યા મુજબ પથારીદીઠ રૂ.૭૫/-લેખે  આર્થિક સહાય ચુકવવામાં આવે છે.
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્‍દ્વતિ
(૧)
માઇક્રોસેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખાઃ-
એમ.સી.આર. પગરખા મેળવવા માટે પગમાં બધીરતાં ધરાવતાં રકતપિત્તગ્રસ્‍તને કોઇ આધાર પુરાવાની જરૂર રહેતી નથી.
(ર)
રીકન્સ્ટ્રકટીવ સર્જરી (આર.સી.એસ.)ઃ-
મેજર રીકન્સ્ટ્રકટીવ સર્જરી કરાવનાર રકતપિત્તગ્રસ્તને  ભારત સરકાર દ્વારા માન્ય કરેલ સંસ્‍થાઓમાં ઓપરેશન કરાવેલ છે તેનો દસ્‍તાવેજી પુરાવો (૧)એસ.એસ.જી.હોસ્‍પિટલ, વડોદરા (ર)નવી સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ. (૩) સીવીલ હોસ્પિટલ, સુરત પૈકી એકનો રજુ કરવાનો રહેશે.
યોજના નો લાભ કયાંથી મળશે.
(૧)
માઇક્રોસેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખાઃ-
જીલ્‍લા રકતપિત્ત અધિકારી/જીલ્‍લા ક્ષય અધિકારીશ્રીની કચેરી ખાતેથી વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે.
(ર)
રીકન્સ્ટ્રકટીવ સર્જરી (આર.સી.એસ.):-
જીલ્‍લા રકતપિત્ત અધિકારી /જીલ્‍લા ક્ષય અધિકારીશ્રીની કચેરી ખાતેથી વિનામૂલ્યે કરાવી આપવામાં આવે છે.
(૩)
બહુઔષધિય સારવાર (એમ.ડી.ટી.):-
તમામ પી.એચ.સી./સી.એચ.સી., જનરલ હોસ્‍પિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.

Comments

Popular posts from this blog

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હ...