Skip to main content

મનોદૈહિક માથાનો દુખાવો

Health is the first step in life.

તમે માનશો!, આ સુનંદાએ એટલી બધી ગોળીઓ ખાધી હશે કે જો માત્ર ગોળીઓનું વજન કરવામાં આવે તો કિલોમાં હશે’ શશાંકભાઇએ જરા અતિશયોક્તિ સાથે સુનંદાબહેનની ફરિયાદોનું વર્ણન ડૉક્ટરને કરવા માંડ્યું.
‘ગમે ત્યારે સુનંદાનું માથું પકડાઇ જાય. એટલું બધું દુઃખે કે જો ઘરમાં એકલા હોઇએ તો તો દીવાલ પર માથું પછાડે. જોરથી કપાળ ફરતે કપડું કે રૂમાલ બાંધી દે. સહેજ પણ મોટો અવાજ સહન ન થાય. ફોનની રીંગ વાગે તો પણ અકળાઇ જાય. અમારે તો કોઇ બાળક નથી. પણ બીજા કોઇનું બાળક ઘરે આવે તો એકદમ ચિડિયાપણું વધી જાય. ઘરમાં બધું જ વ્યવસ્થિત એની જગ્યાએ ગોઠવાયેલું જોઇએ. જો એક પણ વસ્તુ આઘી પાછી થઇ તો આવી બને. અમારે ચોવીસ કલાકનો નોકર પ્રેમજી છે. એની તો લગભગ રોજ એક વાર તો હાલત ખરાબ થઇ જ જાય. વાતે વાતે એના પર સુનંદા બહુ જ ચિડાઇ જાય પણ પછી શાંત થાય એટલે પ્રેમજીને જાતે શીરો કરીને ખવડાવે. એટલં સાચવે. એટલે હવે તો પ્રેમજી પણ સમજી ચૂક્યો છે કે શેઠાણી ગરમ થાય પણ એમના દિલમાં ખોટ નથી... આખું ઘર એકદમ ચકચકાટ ચોખ્ખું રાખે. બારી-બારણા બંધ રાખે. પડદા પણ ઢાંકેલા રાખે. ઘરે કોઇ ગેસ્ટ આવે તો એને બહુ સરસ સાચવે. પણ બહાર જવાનું મોટે ભાગે ટાળે. જ્યારે જબરજસ્તી જવું પડે ત્યારે એને ઉલ્ટી થાય કાં તો ગભરામણ થઇ જાય. ક્યારેક તો ચક્કર પણ આવી જાય. એટલે અમારે ચાલુ ફંક્શને સીધા ડૉક્ટર પાસે દોડવું પડે. એની ટ્રીટમેન્ટ થાય પછી જ રાહત થાય.
સુનંદાબહેનની ક્લિનિકલ હિસ્ટ્રી સૂચક છે. એમના ફેમિલીમાં એ એકની એક દીકરી. એમના ફાધર બેંકમાં મેનેજર અને મમ્મી સ્કૂલમાં ટીચર. બંનેના સ્વભાવ બહુ જ ડિસીપ્લીન વાળા. આમ સુનંદાબહેન પરફેક્ટ રીતે ઉછેરાયેલા. પણ ડિસીપ્લીનની કાંટાળી બાઉન્ડ્રીમાં જ, એટલે શિસ્ત તો જાણે એમના DNAમાં દોડતું. પરફેક્શન એમનો પ્રાણવાયુ હતો. ઓર્ગેનાઇઝ્ડ રહેવું એમની ઓળખાણ હતી પણ મુખ્ય વાત એ હતી કે મેરેજના પાંચ વર્ષ થયા તો પણ એમને કોઇ બાળક નહતું. મમ્મી પાસેથી સાંભળેલું કે લગ્નના બે-ત્રણ વર્ષમાં તો ચાઇલ્ડ જોઇએ જ. તો જ આખી લાઇફ પ્લાનિંગથી જાય. આ વાત સુનંદાબહેનના અચેતન માનસમાં ઘર કરી ગઇ હતી. ‘આટલા બધા’ વર્ષો થઇ ગયા તો પણ હજુ મારૂ ફેમિલી કંપલીટ નથી એવી અપૂર્ણતાની ભાવના માથાના દુઃખાવામાં પરિણમી હતી.
અચેતન માનસમાં દમિત થયેલા સંઘર્ષો કે અપૂર્ણ ઇચ્છાઓ હંમેશા બહાર આવવા મથે છે. ક્યારેક સ્ટ્રેસના સ્વરૂપમાં તો ક્યારેક મોટી મનોવિકૃત્તિના સ્વરૂપમાં દેખા દે છે. આ કિસ્સામાં પેલી દમિત ચિંતા અને ઇચ્છા માથાના દુઃખાવા સ્વરૂપે બહાર આવી. જે શારીરિક રોગના મૂળમાં માનસિક કારણો પડેલા હોય તેને મનોદૈહિક બિમારીઓ કહેવાય છે.
સુનંદાબહેનને ‘સપોર્ટીવ સાયકોથેરપી’ આપવામાં આવી. બાળક મોડું થવું કોઇ અપરાધજન્ય ભૂલ નથી. એનાથી કોઇ મોટું પ્લાનિંગ ખોરવાઇ જતું નથી. માતા-પિતાના વિચારો અને માન્યતાઓનો પૂરતો આદર થવો જ જોઇએ. પણ લગ્ન પછી પરિસ્થિતિ બદલાતી હોય છે તેવામાં જરૂરિયાત મુજબની અનુકૂલનવૃત્તિ કેળવવી પડે છે. થોડી ફલેક્સિબિલીટીની ટેવ હોય તેવા લોકો વધુ સારી ક્વોલિટી લાઇફ જીવી શકે છે. સુનંદાબહેન કાઉન્સેલિંગ અને થેરાપી આપવાથી રિલેક્સ થઇ રહ્યા છે.
https://ladiesplans.blogspot.com/

Comments

Popular posts from this blog

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હ...