Skip to main content

ઉંમરલાયક એકલતાને કેવી રીતે દૂર કરાય

Health is the first step in life.

યશવંતભાઇનો પ્રશ્ન વાજબી હતો. ‘મને ૬૪ વર્ષ થયાં છે. છેલ્લા પાંચ વર્ષથી વિધૂર છું. મારા બંને દીકરા યુ.એસ.એ. સેટલ્ડ છે. એકલતા તો છે જ. પણ એ ડિપ્રેશન નથી. જા કે ઘરે બેસી રહેવાનું વધારે મન થાય છે. એક પછી એક મિત્રોની આ દુનિયામાંથી વિદાય થઇ રહી છે. દીકરાઓ એમના બિઝી રૂટિનમાંથી સમય કાઢીને સ્કાઇપ પર વાત કરી લે છે. એક અજાણ્યું વેક્યુમ છે. આખો દિવસ ટી.વી. પર પૉલિટીક્સ જોઇ જોઇને હું જાણે એક એક્સપર્ટ થઇ ગયો છું. મારા પોતાના બહુ ઠેકાણા નથી ને ભારત દેશના ભવિષ્ય વિશે ચિંતા કર્યા કરું છું. સ્કૂલમાંથી આચાર્ય તરીકે નિવૃત્ત થયો છું. ક્યારેક વળી કોઇ કાર્યક્રમમાં મને ‘ચીફ ગેસ્ટ' તરીકે આમંત્રણ મળે છે. શાલ ઓઢાડીને સન્માન થાય છે. પણ બધુ શુષ્ક લાગે છે. ભૂખ ઓછી થઇ ગઇ છે. ઇશ્વરની કૃપા છે કે હજુ બધા મેડિકલ રિપોર્ટસ નોર્મલ આવે છે. પણ ડાક્ટર, આ મનના એબનોર્મલ રિપોર્ટનું શું ?'
યશવંતભાઇની સમસ્યા હવે ઘણા વડિલોની વિસ્તૃત સમસ્યા બનતી જાય છે. એન.આર.આઇ. સંતાનના માતા-પિતાઓ અને નિવૃત્ત ઉંમરલાયક વડિલોને આવી નામ વગરની નાકે દમ લાવતી સમસ્યાઓ ઊભી થઇ ગઇ છે. કેટલાક લાઇફસ્ટાઇલ ચેન્જીસ સાયકોલોજીકલ અને સાયન્ટિફિક રીતે થાય તો પાછળનું જીવન ઘણું ક્વૉલિટીવાળું પસાર થતું હોય છે.
જેરીયાટ્રીક સાયકોલોજીના ક્ષેત્રમાં ૨,૨૮૬ વડિલો પર થયેલ એક સંશોધન મુજબ જા તમે ૬૦ વર્ષ પસાર કરી ચૂક્યા હો તો ઘરમાં કે કોઇ એકાંતમાં બેઠાડુ જીવન ગાળવાનું તમારા માટે ખતરનાક નિવડી શકે છે. આ ઉંમરે ડિસએબિલીટી થવાના ચાન્સ વધી જાય છે, પછી ભલે ને તમે દિવસમાં પંદરેક મિનિટ હળવી એક્સરસાઇઝ કરતા હો. વડિલોએ એક જ જગ્યાએ બેસી રહેવાની (કુ) ટેવથી બચવું જાઇએ. ખાસ કરીને જ્યારે ઘરમાં લાંબા સમય સુધી ટી.વી.ની સામે બેસી રહે છે ત્યારે પોતાને તો નુકશાન કરે જ છે, પરંતુ ઘરના બીજા સભ્યો ડિસ્ટર્બ થઇ શકે છે. વધુ પડતી પ્રવૃત્તિ ધરાવતા વડિલો નિવૃત્ત થાય એટલે ઘરની નાની નાની બાબતોમાં માથુ મારતા થાય છે. એમાંય વળી જો એ પરફેક્શનના આગ્રહી હોય તો બીજા ઘરવાળાનું આવી જ બન્યું. ક્યારેક જૂની પેઢીને નવી પેઢી સિદ્ધાંત કે ડિસિપ્લિન વિહોણી લાગે છે. એમની વાતમાં તો દમ હોય છે. પણ વાત કરવાની રીત હરદમ એગ્રેસીવ હોય છે. કાં તો પછી સાવ ઓશિયાળા બની જાય છે. આ દયાપાત્રતાની પાછળ ઇમોશનલ ટેકો મેળવવાની કે ધ્યાન કેન્દ્રિત કરવાની અચેતન ઇચ્છા સમાયેલી હોય છે. જે મહદ્‌અંશે વાજબી પણ હોય છે. પરંતુ એ લાગણીના પ્રદર્શનની રીત અન્ય પરિવારજનોને અકળાવે છે..
આનો સાયકોલોજીકલ હલ એ છે કે પોતાની વાત સમય આવ્યે તટસ્થ, શાંત, અને પ્રેમાળ રીતે અભિવ્યક્ત થઇ શકે તેવી ટેવ પાડવી જરૂરી છે. અને હા... મોટી ઉંમરે પણ જરૂરી હોય તેવી ટેવો ‘પ્રયત્નપૂર્વક' વિકસાવી જ શકાય. નવી ટૅકનોલોજી સાથે મિત્રતા બાંધવાની બનેલા ‘મોર્ડન' દાદા કે દાદી કદાચ વધારે સ્વીકૃતિ પામે છે. ફેસબુક કે વોટ્‌સઍપ હંમેશા ખરાબ જ હોય છે, એવું નથી. એ અનેક પ્રકારની ક્રિએટીવિટીને દર્શાવવાનું પ્લેટફોર્મ બની શકે છે. તમારા વિચારો કે અન્યના સુવાક્યો કદાચ બીજા કોઇને ‘ઓનલાઇન ઇન્સ્પાયર' કરી શકે. ખોરાકમાં પૂરતું ધ્યાન, ઓછું પણ પોષણયુક્ત ભોજન લેવું વગેરે ચવાઇ ગયેલી પણ જરૂરી બાબતો છે. સવાર-સાંજનું બ્રીસ્ક વાકિંગ મતલબ ઝડપથી ૪૫ થી ૫૫ મિનિટ ચાલવાથી ન્યુરોટ્રાન્સમીટર્સ પણ નિયંત્રણમાં રહે છે. જેથી મૂડ પણ મજાનો રહે છે. આ ઉંમરે અનેકવિધ લોકો અને પરિસ્થિતિઓને સ્વીકારી લેવાનું શાણપણ એક જુદા જ પ્રકારની શાંતિ અર્પે છે. તર્કહીન જડ ધાર્મિક પ્રવૃત્તિઓ તરફથી આધ્યાત્મિક ચિંતન કે અન્ય પ્રગતિશીલ ફિલોસોફિકલ વિકાસાત્મક વિચારો તરફનું પ્રયાણ આત્મસંતોષની અનુભૂતિ કરાવે છે. યશવંતભાઇ હવે આવા જ કોઇ ‘સ્વ-પંથે' જવા રેડી છે..

Comments

Popular posts from this blog

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

ગર્ભપાત

Health is the first step in life. https://ladiesplans.blogspot. com/               પ્રાસ્તાવિક ગર્ભપાત કેટલીકવાર ગર્ભાવસ્થા સમાપ્તિ તરીકે ઓળખાય છે, જે સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની તબીબી પ્રક્રિયા છે જેના પરિણામે બાળકનો જન્મ થતો નથી.ગર્ભપાત કરાવવાનો નિર્ણય મુશ્કેલ છે. તમે ગર્ભપાત કરાવવાનું શા માટે નક્કી કરો છો તેનાં ઘણાં કારણો છે - ઉદાહરણ તરીકે, તમારા વ્યકિતગત સંજોગો, તમારા આરોગ્યનું જોખમ, અથવા તમારા બાળકને કોઈક તબીબી પરિસ્થિતિ ઊભી થાય તેવી તક હોઇ શકે. ઘણાં લોકો ગર્ભપાત અંગે (તરફેણમાં અને વિરુદ્ધમાં) જલદ અભિપ્રાયો ધરાવે છે. તમામ મંતવ્યોને આદર આપવો જોઈએ, યુ.કે.માં સગર્ભાવસ્થાનાં પ્રથમ 24 અઠવાડિયા દરમિયાન ગર્ભપાત કરાવવો કાયદેસર છે, પરંતુ તે અંગે કેટલાક માપદંડો પરિપૂર્ણ કરવાના હોય છે.તમે NHS પર, કે ખાનગી રીતે ગર્ભપાત કરાવી શકો છો (NHS ખાનગી ગર્ભપાતો માટે નાણાં આપતું નથી). યુ.કે.ના કાયદા અન્વયે, તમારી પાસે બે ડોકટરોનો સંદર્ભ હોવો જોઈએ, જેઓ તમારા સંજોગો માટે ગર્ભપાત યોગ્ય છે તે અંગે સંમત હોવા જોઈએ. કાર્યપદ્ધતિ હોસ્પિટલમાં, કે નિષ્ણાત લાયસન્સયુક્ત દવાખાના...

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...