Skip to main content

ગર્ભાવસ્થા દરમિયાન રાખો આટલી દેખભાળ

માતા અને શિશુના સ્વાસ્થ્ય સંબંધિત સમગ્ર વિશ્વભરમાં એ જ અનુભવ છે કે જ્યાં પણ નિયમિત તપાસ (એન્ટીનેટલ કેર) અને દેખભાળની સુવિધાઓ છે ત્યાં માતાનું સ્વાસ્થ્ય સારું રહેતું હોય છે તેમ જ શિશુ પણ સારા અને સ્વસ્થ રહે છે. જ્યાં તપાસ નથી થતી ત્યાં શિશુ અને માતામાં કોમ્પ્લિકેશન્સ તેમ જ મૃત્યુ દર વધારે હોય છે.
ગર્ભાવસ્થા લગભગ નવ મહિના અને સાત દિવસ (280 દિવસ)ની હોય છે. આ સમયગાળા દરમિયાન નાની-મોટી તકલીફ રહેવી સામાન્ય વાત છે અને તેની ઉપર અનેક વિષય ઉપર સલાહ, માર્ગદર્શન, ઈલાજ, નિયમિત તપાસ લેવી જરૂરી હોય છે.

પહેલી તપાસ ક્યારે અને ક્યાં?

એકવાર પોતાના ઘરે દિવસ ચઢ્યા બાદ તમારો પ્રેગ્નન્સી ટેસ્ટ કરો અને એ ટેસ્ટ પોઝીટીવ આવે તો તમે ગર્ભવતી છો. દોઢ અથવા પોણા બે મહિના પર તેની પહેલી તપાસ માટે કોઈપણ નજીકની હોસ્પિટલ, મેટરનિટી હોમ અથવા પ્રાથમિક ચિકિત્સા કેન્દ્ર પર જઈ શકો છો. તમારા ડોક્ટર તમને સ્વાસ્થ્ય અંગે, જૂની અથવા પારિવારીક બીમારી વિશે, ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, ટીબી, કોઈ બાળકમાં જન્મજાત ખામી વિશેના ઉંડાણપૂર્વક સવાલ જવાબ કરશે અને ત્યારબાદ તમારી શારિરીક તપાસ કરવામાં આવશે. તમારું વજન તેમ જ બ્લડ પ્રેશર ચેક કરવામાં આવશે. ત્યારબાદ તમારા લોહીની તપાસ કરવામાં આવશે જેમાં હિમોગ્લોબીન, બ્લડ ગ્રુપ, ફાસ્ટીંગ સ્યુગર, થાઈરોઈડ, હિપેટાઈટીસ બી, એચઆઈવી ટેસ્ટનો સમાવેશ થાય છે. તમારા યુરિનની પણ તપાસ કરવામાં આવે છે અને એક સોનોગ્રાફી પણ કરવામાં આવે છે. આ બધા રિપોર્ટમાં કોઈ ખરાબી જણાય તો તેનો યથાયોગ્ય ઉપચાર કરવામાં આવે છે. આ દરમિયાન તમને ફોલિક એસિડ (એક પ્રકારનું વિટામીન) આપવામાં આવે છે જે લેવું ખૂબ જરૂરી છે કેમ કે તેનાથી બાળકનું મગજ અને સ્પાઈનલ કોર્ડ (કરોડરજ્જુ) સારી રીતે વિકસીત થાય છે. શરૂઆતના બે-ત્રણ મહિનામાં બેચેની લાગવી, ઉલ્ટી આવવી સામાન્ય વાત હોય છે અને એના માટે તમે દવા લઈ શકો છો.
ત્યારબાદ તમને સાત મહિના સુધી દર મહિને તપાસ માટે બોલાવવામાં આવે છે. આઠમા મહિને દર પંદર દિવસે અને નવમા મહિને દર અઠવાડિયે તપાસ માટે બોલાવવામાં આવે છે. જો હાઈ રિસ્ક પ્રેગ્નન્સી હોય જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, જોડિયા બાળકો તો જલ્દી પણ બોલાવી શકે છે.
ચોથા મહિનાના અંત સુધીમાં (15/16 સપ્તાહે) આપના ડોક્ટક તમારો ટ્રીપલ માર્કરના ટેસ્ટ કરાવશે એનાથી એ ખબર પડે છે કે આપના બાળકને ડાઉન્સ સિન્ડ્રોમનો ખતરો તો નથી ને. તમારી દરેક વિઝીટ પર તમારું વજન, બ્લડ પ્રેશર, યુરિન ટેસ્ટ, હિમોગ્લોબીન ચેક કરવામાં આવે છે અને ડોક્ટર બાળકના વિકાસની પણ તપાસ કરે છે તેમજ આપને ડાયટ તેમજ કસરતો વિશે પણ માહિતગાર કરે છે.
પાંચમાં મહિને આપની એકવાર સોનોગ્રાફી કરવામાં આવે છે જેને ડિટેઈલ એનોમાલી સ્કેન કહે છે આનાથી બાળકમાં જો કોઈ શારિરીક ખામી જેવી કે હૃદયમાં છેદ, કપાયેલા હોઠ અથવા તાળવું, મગજનો વિકાસ વગેરે વિશે જાણકારી મેળવી શકાય છે.ગર્ભાવસ્થા દરમિયાન તમારો આહાર પોષ્ટીક હોવો જોઈએ કેમ કે તમે જે ખોરાક આરોગો છો તેનાથી તમારા બાળકને પોષક તત્વો તેમ જ ઊર્જા મળી રહે છે. તમારા ડોક્ટર તમને આયર્ન, કેલ્શિયમ તેમજ પ્રોટીન સપ્લીમેન્ટ આપે છે તેનાથી તમારા તેમજ ગર્ભમાં રહેલા બાળકના શરીરમાં લોહીની કમી નથી થતી તેમજ હાડકાં પણ મજબૂત રહે છે. સમયસર સંતુલિત ભોજન લેવું દરેક ગર્ભવતી મહિલા માટે ખાસ જરૂરી છે, તાજો ખોરાક ખાવાનો જ આગ્રહ રાખવો જોઈએ. નાસ્તામાં તમે ઉપમા, પૌંઆ, ઈડલી, પરોઠા, દૂધ તેમજ ફળ વગેરે લઈ શકો છો. 10-11 વાગે કોઈપણ ફળ, 8-10 બદામ અથવા લસ્સી લઈ શકો છો. લંચમાં રોટલી, શાક, દાળ-ભાત, છાસ લઈ શકો છો. 4-5 વાગે કોફી અથવા ચ્હા ની સાથે બિસ્કીટ અથવા ખાખરાનો હળવો નાસ્તો લેવો સારો. રાત્રે સુપ, શાકભાજી વગેરે લઈ શકો.
ખોરાકની સાથે સાથે તમારે કસરત કરવી પણ એટલી જ જરૂરી છે. ચાલવું, હરવું-ફરવું સૌથી સારું માનવામાં આવે છે અગર તમને તરતા આવડતું હોય તો એ પણ એક સારી કસરત છે. પાંચ-પાંચ મિનીટ સવારે અને સાંજે તમે ઊંડા શ્વાસ લો, પ્રેગ્નન્સી દરમિયાન કોઈપણ નવી કસરત પોતાના મન પ્રમાણે શરૂ ના કરવી.
પ્રેગ્નન્સી દરમિયાન ટીટેનસની બે રસી પણ એક-એક મહિનાના અંતરમાં આપવામાં આવે છે તેમ જ ત્રીજા મહિને ઈન્ફ્લુએન્ઝાની રસી પણ આપવામાં આવે છે. જો તમને ગર્ભાવસ્થા દરમિયાન ક્યારે પણ એવું લાગે કે આપને વધારે તાવ છે, યોનિ માર્ગમાંથી લોહી આવે છે, માથામાં અસહ્ય દુખાવો છે, આંખો સામે અંધારા જેવું લાગે કે બાળકનું ફરવું ઓછું થઈ ગયું છે તો તુરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

Comments

Popular posts from this blog

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હ...