Skip to main content

ગર્ભસ્થ શિશુ માટેની જરૂરી તપાસ

Health is the first step in life.

સોનોગ્રાફી

આ બાળક માટેની એક પ્રકારની તપાસ છે. જેમાં એક મશીનમાંથી અવાજનાં મોજા સગર્ભાબહેનના પેટમાંથી પસાર થઈને બાળક સુધી પહોંચે છે અને તેનાં પડઘાયેલાં મોજા એક પડદા પર ચિત્ર ઊભું કરે છે. આનાથી બાળકના શારીરિક બંધારણ ઉપરાંત હલચલ, હૃદયના ધબકારા, પાણીનું પ્રમાણ, ઓળની જગ્યા અને તેની ઉંમર, એક કરતાં વધુ બાળક હોવાં, બાળકોનાં શરીરની ખોડખાંપણ વગેરે જાણવા મળે છે.
ખાસ કરીને દરેક સગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછી એક વાર સોનોગ્રાફી થાય તો ગર્ભમાંનું બાળક બરાબર છે અને કોઈ ગંભીર પ્રકારની ખોડખાંપણ નથી તે જાણી લેવાય છે.
જો કોઈ બહેનને આગલી કસુવાવડ, અધૂરા મહિનાની પ્રસૂતિ, બાળકનું પેટમાં મૃત્યુ પામવું વગેરે પ્રકારની તકલીફો હોય તો પ્રથમ ત્રણ માસ દરમિયાન પણ એક વાર સોનોગ્રાફી કરાવવી હિતાવહ છે. ત્યારબાદ પાંચમા મહિને અને જરૂર પડયે (બાળક આડું કે ઊંધું હોય), અવિકસિત હોય, ગર્ભનું પાણી ઓછું થઈ રહ્યું હોય કે બાળકનું ફરકવાનું ઓછું થઈ ગયું હોય કે રક્તસ્ત્રાવ ચાલુ થઈ ગયો હોય તો પાછલા બે મહિનામાં સોનોગ્રાફી કરાવવાની જરૂર પડે છે.

એમ્નીઓસેન્ટેસીસઃ (ગર્ભમાંના પાણીની તપાસ)

કેટલીક સગર્ભા બહેનોનું લોહીનું ગ્રૂપ નેગેટિવ પ્રકારનું હોય, તેના પતિનું પોઝિટિવ પ્રકારનું હોય અને બાળકનું પણ પોઝિટિવ પ્રકારનું હોય અને આગલી પ્રસૂતિમાં જરૂરી પ્રકારનો ખ્યાલ ન રખાયો હોય તો બીજી કે તેના પછીની પ્રસૂતિમાં બાળકને અસર થઈ શકે છે. આ અસરની ગંભીરતા જાણવા માટે ગર્ભમાંનું પાણી સિરિંજ અને સોય મારફતે યોગ્ય જગ્યાએથી ખેંચીને તેની લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવે છે.

કોરડોસેન્ટેસીસ

ઉપરોક્ત બાળકને વધુ સઘન સારવારની જરૂર પડે તો તેની નાળની ધોરી નસોમાંથી લોહી બદલવાની ક્રિયા પણ કરી શકાય છે.

સગર્ભાવસ્થાની સામાન્ય તકલીફો

કમરનો દુખાવો થવો

સગર્ભાવસ્થાના અંદાજિત છ માસ બાદ ઘણી ગર્ભવતી સ્ત્રીઓને કમરનો દુખાવો રહેતો હોય છે. તે ખાસ કરીને બહેનોની અમુક પ્રકારની ચાલવાની અને ઊભા રહેવાની આદતને કારણે હોય છે.

ઊલટી-ઉબકા આવવા

આ તકલીફો શરૂઆતના ત્રણ મહિનામાં વધુ જોવા મળે છે. પહેલી સુવાવડમાં વધુ થાય છે. તેનું મુખ્ય કારણ નક્કી નથી પણ સગર્ભાવસ્થામાં વધતા અંતઃસ્ત્રાવોને કારણે હોઈ શકે તેવું માનવામાં આવે છે. આ ઉપરાંત માનસિક લાગણીઓ પણ તેમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી સગર્ભા બહેનોને જો માનસિક આધાર મળી રહે, થોડો ઘણો ખોરાકમાં ફેરફાર કરવામાં આવે, તો દવાઓની ભાગ્યે જ જરૂર પડે છે.

શ્વેતપ્રદર

સામાન્ય રીતે સગર્ભાવસ્થા દરમિયાન શ્વેતપ્રદર (દહીંના ફોદા જેવું કે પીળાશ પડતું પ્રવાહી)પડતું હોય છે. જો ચેપને કારણે હોય,  તો તેની યોગ્ય દવા ડોકટરી તપાસ પછી લેવી જોઈએ.

પેટમાં બળતરા-ગેસ


સામાન્ય રીતે ચાર મહિનાની સગર્ભાવસ્થા બાદ ગર્ભાશય પેટમાં ઉપર આવતું હોવાથી આંતરડાઓમાં દબાણ આવે છે અને ખોરાક ઉપર ચડતો હોય તેવું લાગે છે. તેના માટે યોગ્ય આહાર, રાત્રે જમીને બે કલાક સુવાથી અને સાંજે થોડું ચાલવાથી સારું લાગે છે. આમ છતાં તકલીફ વધારે હોય તો ડોકટરી સલાહ લઈને દવાઓ લઈ શકાય.

Comments

Popular posts from this blog

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હ...