Skip to main content

ચિંતા

Health is the first step in life.

પરિચય

ચિંતા એ બેચેની અને મુંજવણ થવાની એક ભાવનાત્મક સ્થિતિ છે.ખાસ કરીને તે શંકાઓ અને ચિંતાની વિશેષતાને આભારી છે. ચિંતાનો વિકાર વ્યક્તિ પર વિનાશક પ્રભાવ કરી શકે છે.સૌથી વધુ લોકો આ રોગના મૂળ સુધી જઈને તેમની હતાશાનો અંત લાવી શકે છે.
ચેતવણીના કેટલાંક સંકેતો આ પ્રમાણે છે :
  • અતિશય ભય અથવા દહેશત થવી
  • બેચેની થવી
  • સરળતાથી થાક લાગવો
  • ઊંઘમાં વિક્ષેપ થવો
  • વજન અને ભૂખમાં ઘટાડો થવો

લક્ષણો

કેટલાક લક્ષણો જોડાયેલા છે :
  • થાક લાગવો
  • મોં સૂકાઈ જવું
  • પેટમાં મરોડ આવવી
  • સૂવામાં તકલીફ થવી અને માથાનો દુઃખાવો
  • માંસપેશીઓમાં તનાવ અને માંસપેશીઓમાં દુઃખાવો
  • ગળવામાં તકલીફ થવી
  • ધ્રુજારી આવવી અને ચીડિયાપણું થયાનો અનુભવ થવો
  • માંસપેશીઓ સંકોચાઈ જવું
  • પરસેવો થવો અને ફોલ્લી ગરમ થવી

કારણો

ચિંતાનું કોઈ કારણ હજુ સુધી શોધી શકાયું નથી.
કેટલાંક સંશોધકો દ્વારા ચિંતાની વિકૃતિઓનું ચોક્કસ કારણ મગજમાં રાસાયણિક અસંતુલનની ઉપસ્થિતિ છે કે જે ન્યુરોટ્રાન્સમીટર રસાયણો તરીકે ઓળખાય છે.
ચિંતાની વિકૃતિના અન્ય કારણો પણ છે :
  • કેટલાંક લોકોને ચિંતા હોય છે જયારે તેમના જીવનમાં પરિવર્તન આવે છે : નવી નોકરીની શરૂઆત કરો છો ત્યારે,લગ્ન થાય છે ત્યારે,બાળકના જન્મ પછી,કોઈની સાથે અણબનાવ થયા પછી વગેરે.
  • કેટલીક દવાઓના પણ ચિંતાનું કારણ બની શકે છે.આ દવાઓમાં દમની સારવાર માટે ઇન્હેલરવાળી દવાઓ,થાઈરોડની દવાઓ અને ખાવાની દવાઓનો સમાવેશ થાય છે.
  • કોફીન,દારૂ અને તમાકુંના ઉત્પાદનોપણ ચિંતાનું કારણ બની શકે છે.

નિદાન

તેના ચિન્હો અને લક્ષણોના આધારે નિદાન કરી શકાય છે.રોગનું નિદાન કરવા માટે માનસિક મૂલ્યાંકન મદદરૂપ થાય છે.

વ્યવસ્થાપન

ચિંતાની સારવાર મનોરોગ થેરાપી અને દવાઓ અથવા બંને રીતે કરી શકાય છે.
મનોરોગ થેરાપી : ચિંતાની સારવાર માટે મુખ્યત્વે કરવામાં આવતી આ થેરાપીને પ્રત્યક્ષ જ્ઞાન વર્તન થેરાપી કહેવામાં આવે છે. તે વ્યક્તિને અલગ અલગ રીતે મદદ કરી શકે છે જેમ કે વિચારવામાં,વર્તનમાં અને તે અથવા તેણીને  બેચેની તેમજ મુજવણની પરિસ્થિતિની પ્રતિક્રિયા બેચેની અને ચિંતાતુર લાગે છે.
દવાઓ: કેટલીક વખત ડોકટરોઓ પણ ચિંતાની સારવાર માટે દવાઓ આપી શકે છે.આ દવાઓ બે પ્રકારની છે જેમ કે ચિંતા વિરોધી દવાઓ અને ચિંતામુક્ત દવાઓ. ચિંતા વિરોધી દવાઓના ઘણાં બધાં પ્રકારો છે અને તે શક્તિશાળી દવાઓ હોય છે.ઘણા બધા બીજા રસ્તો દ્વારા પણ થઇ શકે પરંતુ સામાન્ય રીતે આ દવાઓ લાંબા સમય માટે લેવી જોઈએ.

હતાશા વિરોધી દવાઓ ચિંતાની સારવાર માટે ઉપયોગી છે પરંતુ તે પણ ચિંતા માટે સહાયક થાય છે. તેઓને કામ શરુ કરવામાં કેટલોક સમય લાગી શકે છે.આ દવાઓ જેમ કે માથાનો દુઃખાવો,ઉબકાં થવા અથવા સૂવામાં તકલીફ થવી જેવી આડઅસરો થઈ શકે છે.તે હતાશા વિરોધી દવાઓ ઘણાં બધા લોકોને અસરકારક સાબિત થઈ શકે છે તેમ છતાં એ પણ જાણવું જરૂરી છે કે આ દવાઓ ખાસ કરીને બાળકો,કિશોરો અને યુવાનો માટે હાનિકારક થઈ શકે છે કે કેમ.આથી ડોક્ટરની સલાહ માર્ગદર્શન પછી જ તે લેવી જોઈએ.

Comments

Popular posts from this blog

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

ગર્ભપાત

Health is the first step in life. https://ladiesplans.blogspot. com/               પ્રાસ્તાવિક ગર્ભપાત કેટલીકવાર ગર્ભાવસ્થા સમાપ્તિ તરીકે ઓળખાય છે, જે સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની તબીબી પ્રક્રિયા છે જેના પરિણામે બાળકનો જન્મ થતો નથી.ગર્ભપાત કરાવવાનો નિર્ણય મુશ્કેલ છે. તમે ગર્ભપાત કરાવવાનું શા માટે નક્કી કરો છો તેનાં ઘણાં કારણો છે - ઉદાહરણ તરીકે, તમારા વ્યકિતગત સંજોગો, તમારા આરોગ્યનું જોખમ, અથવા તમારા બાળકને કોઈક તબીબી પરિસ્થિતિ ઊભી થાય તેવી તક હોઇ શકે. ઘણાં લોકો ગર્ભપાત અંગે (તરફેણમાં અને વિરુદ્ધમાં) જલદ અભિપ્રાયો ધરાવે છે. તમામ મંતવ્યોને આદર આપવો જોઈએ, યુ.કે.માં સગર્ભાવસ્થાનાં પ્રથમ 24 અઠવાડિયા દરમિયાન ગર્ભપાત કરાવવો કાયદેસર છે, પરંતુ તે અંગે કેટલાક માપદંડો પરિપૂર્ણ કરવાના હોય છે.તમે NHS પર, કે ખાનગી રીતે ગર્ભપાત કરાવી શકો છો (NHS ખાનગી ગર્ભપાતો માટે નાણાં આપતું નથી). યુ.કે.ના કાયદા અન્વયે, તમારી પાસે બે ડોકટરોનો સંદર્ભ હોવો જોઈએ, જેઓ તમારા સંજોગો માટે ગર્ભપાત યોગ્ય છે તે અંગે સંમત હોવા જોઈએ. કાર્યપદ્ધતિ હોસ્પિટલમાં, કે નિષ્ણાત લાયસન્સયુક્ત દવાખાના...

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...