Skip to main content

સાયક્લોથાયમિક ડિસઓર્ડર

Health is the first step in life.

ઉત્કર્ષભાઇનો મૂડ રોકિંગ લાગતો હતો. ડૉક્ટરને ક્લિનિકમાં પ્રવેશતા જ જાણે બધાને નિકટથી ઓળખતા હોય તેમ વાતો કરવા લાગ્યા. પત્ની સંજનાબહેન એમનો હાથ પકડીને શાંત રાખવાની કોશિષ કરી રહ્યા હતા. જો કે વેઇટીંગ રૂમમાં બેઠેલા બીજા બધાને પણ મજા પડી ગઇ હતી. એમનો વારો આવવાની રાહ જોયા વગર સીધા જ પોલિટીશીયનના રૂઆબ સાથે કન્સલ્ટિંગ રૂમની અંદર પ્રવેશ્યા. ડૉક્ટર સાથે હસ્તધૂનન કરીને પાછા બીજા રૂમમાં જઇને ગોઠવાઇ ગયા. આજનું ન્યૂઝપેપર મંગાવી વાંચવા લાગ્યા. જો કે એમનાથી મોટા મિહિરભાઇ સાથે હતા એટલે થોડા શાંત પડ્યા.
સંજનાબહેને ડૉક્ટરને વાત શરૂ કરી. ‘છેલ્લા અઢી વર્ષથી અમારા ઘરમાં આવું જ ચાલ્યા કરે છે. એમના મૂડમાં એટલા ઝડપથી ચડાવ-ઉતાર આવે છે કે સામેની વ્યક્તિએ એમની સાથે કેવી રીતે કામ લેવું એ જ સમજાય નહીં હજુ બે દિવસ પહેલા એમને એવું ડિપ્રેશન હતું કે મારે બિઝનેસ બંધ કરી દેવો છે. કોઇ આશ્રમમાં સેવામાં લાગી જવું છે. પોતાનું વિલ પણ કેટલીય વાર તૈયાર કરાવીને બદલાવ્યું છે. હજુ ઉંમર એકતાલીસ વર્ષ છે તો પણ આવા મૂડના ચક્કરો ચાલે તેમાં બધુ દાન કરી દેવાની પ્રબળ ઇચ્છા થઇ આવે. અરે ક્યારેક તો કારણ વગર કોઇ નવી કાર બૂક કરાવી આવે. ઘરે બે ટી.વી. છે તો પણ ત્રીજું લેટેસ્ટ ૬૦ ઇંચનું ટી.વી. ગઇ કાલે જ લઇ આવ્યા. અમે બે માણસ છીએ. કોઇ સંતાન નથી. કોના માટે આટલી વસ્તુઓ કામની. અમે અમારા ઘરમાં પૈસે ટકે ખૂબ સુખી છીએ. પણ મારી સાથે વાત-વાતમાં કકળાટ કરી મૂકે છે. બધા મિત્રો સાથે પણ સંબંધો સારા નથી રાખ્યા. એટલું જ નહીં પણ મને તો કહેતા ય શરમ આવે છે એ ઘણી બધી વાર અનેક સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ પણ રાખી ચૂક્યા છે. અમારા આગળના ડૉક્ટરે કહ્યું હતું કે એમના માનસિક રોગનું આ એક લક્ષણ છે એટલે હું કંઇ બોલી નહીં, પણ દુઃખ તો થાય જ ને ? અને હા... વારે ઘડીએ બિઝનેસ બદલવાની વાતો કરે છે. ક્યારેક શેરબજારમાં ઓવર ઇન્વેસ્ટ કરી નાંખે તો ક્યારેક કવિતા લખવા માંડે... એમની દવાઓ તો ચાલુ જ છે પણ મને એવી સલાહ મળી કે સાથે સાયકોથેરપી થાય તો વધારે સારૂ પરિણામ મળે..
સંજનાબહેનની વાત સાચી છે. ઉત્કર્ષભાઇને જે તકલીફ છે તેને ‘સાયક્લોથાયમિક ડિસઓર્ડર' કહે છે. લક્ષણોની દ્રષ્ટિએ આ તકલીફ ‘બાઇપોલર ટાઇપ-૨ ડિસઓર્ડર'નું હળવું સ્વરૂપ છે. આમાં મંદ ડિપ્રેશન અને આનંદના અતિરેકના ચક્રિય હુમલાઓ આવ્યા કરે છે. ફરિયાદો લગભગ બે વર્ષથી વધારે જૂની હોય છે. ઘણી વાર સાયક્લોથાયમિક ડિસઓર્ડર સાથે બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર પણ જોવા મળે છે. મોટા ભાગનાને મુખ્ય લક્ષણ તરીકે ડિપ્રેશન હોય છે અને હતાષાના સંજોગોમાં જ દર્દી ડૉક્ટરનો સંપર્ક પ્રમાણમાં વધારે કરે છે. જ્યારે યુફોરિયા એટલે કે આનંદના અતિરેકના સમયે દર્દી ટ્રીટમેન્ટ માટે તૈયાર થતા નથી. કારણ કે એને બધુ બરાબર લાગે છે. યુફોરિયામાં તો કેટલાક રૂટિનમાં લાંબા સમય સુધી કામ કર્યા કરે છે. એમાં ક્યારેક ખૂબ સર્જનાત્મકતા કે હાઇ અચિવમેન્ટ પણ મેળવે છે. અલબત્ત ઊંઘ ખૂબ ઓછી થઇ જાય છે. તેમજ સામાજીક સંબંધો પણ હચમચી જાય છે. દર્દીમાં આલ્કોહોલિઝમ પણ જોવા મળે છે..
ઉત્કર્ષભાઇની મૂડ સ્ટેબિલાઇઝર દવાઓ ચાલુ જ હતી. એમને સાથે સાયકોથેરપી આપવાની જરૂર હતી. સાયકોથેરપીને લીધી ઉત્કર્ષભાઇને પોતાના મૂડ સ્વીંગના આ ડિસઓર્ડર વિશે વધારે સભાનતા અને સમજણ પ્રાપ્ત થઇ. પોતાને માનસિક સમસ્યા છે એવો સ્વીકાર પણ વ્યક્તિની સારા થવાની શક્યતાને વધારી દે છે. ઉત્કર્ષભાઇને થેરાપીના સિટિંગ્સ મળ્યા પછી કામમાં સ્થિરતા પ્રાપ્ત થઇ. અન્ય ફેમિલી મેમર્સનું કાઉન્સેલિંગ થવાથી એ બધાને પણ વિકૃતિ વિશે વૈજ્ઞાનિક સમજ સ્પષ્ટ થતા સંબંધો સુધર્યા. અલબત્ત ઉત્કર્ષભાઇ જેવાને આવી ચક્રિય મનોવિકૃતિમાંથી મુક્ત થવા ઘણી ધીરજ રાખવી જરૂરી છે.
એમના મૂડમાં એટલા ઝડપથી ચડાવ-ઉતાર આવે છે કે સામેની વ્યક્તિએ એમની સાથે કેવી રીતે કામ લેવું એ જ સમજાય નહીં હજુ બે દિવસ પહેલા એમને એવું ડિપ્રેશન હતું કે મારે બિઝનેસ બંધ કરી દેવો છે આપણી નિષ્ફળતા કે દુઃખના ઇન્કારની પ્રતિક્રિયા ક્યારેક ‘કૃત્રિમ અતિ ઉત્સાહ'નું મહોરૂં ધારણ કરી લે છે..

https://ladiesplans.blogspot.com/

Comments

Popular posts from this blog

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હ...