Skip to main content

એક સ્વસ્થ કુટુંબ માટે યુક્તિઓ

Health is the first step in life.

સ્ત્રીઓ અને બાળકોનુ સ્વાસ્થય સંભાળવા માટે દરેક બાળકના જન્મ વચ્ચે ઓછામાં ઓછા બે વર્ષનો ફરક રાખવો જરૂરી છે. ૧૮ વર્ષની ઉમર પહેલા ગર્ભ ધારણથી દુર રહેવુ અને કુલ ત્રણ અથવા તેનાથી ઓછા ગર્ભધારણ સુધી સીમિત રાખવુ જોઇએ. કેટલીક માતાપિતા માટે મૂળભુત યુક્તિઓ છે :
  • બાળકને પેટમાં રાખવાનુ જોખમ ઓછુ કરવા બધી ગર્ભવતી સ્ત્રીઓએ સ્વાસ્થયના કાર્યકર્તા પાસે જન્મ આપતા પહેલાની દેખભાળ સમજવા માટે જવુ જોઇએ અને બધી સુવાવડો માટે એક તાલિમ લીધેલ દાઈની મદદ લેવી જોઇએ.
  • બાળકના પહેલાના થોડા મહિનાના જીવન માટે માતાનુ દુધ બાળકના આહાર અને પીણા માટે ઉત્તમ છે. બાળક જ્યારે ૪ થી ૬ મહિનાનુ થાય, ત્યારે તેને દુધ સિવાય બીજો કોઇ ખોરાક પણ આપવો જોઇએ.
  • ૩ વર્ષથી નીચેના બાળકોને વિશિષ્ટ રીતે ખવરાવવાની જરૂર હોય છે. તેમને દિવસમાં ૫ થી ૬ વાર જરૂર પડે છે. છુંદેલા શાકભાજી અને નાના પ્રમાણમાં ચરબી અથવા તેલ બાળકના આહારમાં તેને સમૃદ્ધ બનાવવા ઉમેરવુ જોઇએ.
  • ઝાડાને લીધે બાળકના શરીરમાંથી ઘણુ બધુ પ્રવાહી નીકળવાને લીધે બાળક મૃત્યુ પણ પામે છે. બાળકનુ પાણી જેવુ દરેક દસ્ત નીકળ્યા પછી તેને ઘણુ બધુ પ્રવાહી આપવુ જોઇએ - માતાનુ દુધ, ઘરમાં બનાવેલ પ્રવાહી જેવા કે દાળનુ પાણી, ચોખાનુ પાણી, છાસ અથવા વિશિષ્ટ પીણુ જેને Oral Rehydration Suspension (ORS) કહેવાય છે.
  • રસીકરણ જે ગરીબોના વિકાસ અને અપંગતા અને મૃત્યુ બની શકે તેના વિરૂદ્ધ સુરક્ષા આપે છે. બધી રસી બાળકના જીવનના પહેલા વર્ષ દરમ્યાન સંપુર્ણ કરવી જોઇએ અને એક વધુ માત્રા તે જ્યારે ૧.૧/૨ વર્ષનુ થાય ત્યારે આપવી જોઇએ.
  • ઘણુ કરીને ઉધરસ અને શરદી તેની મેળાયે સારી થઈ જાય છે. પણ જો બાળક ઉધરસની સાથે સામાન્ય કરતા વધારે જલ્દીથી શ્વાસ લેતુ હોય તો બાળક ગંભીર રીતે બીમાર છે અને તેને જલ્દીથી સ્વાસ્થય કેન્દ્રમાં લઈ જવુ જોઇએ. ઉધરસ અને શરદી થયેલા બાળકે વધારે ખોરાક અને ઘણુ બધુ પ્રવાહી લેવાથી તેને મદદ મળશે.
  • ઘણા બધા રોગો મોઢામાં કિટાણુ જવાથી થાય છે. આનાથી બચી શકાય જો ઉચિત જાજરૂ વાપરીને, સંડાસ ગયા પછી અને ખોરાકને હાથ લગાડતા પહેલા સાબુથી હાથ ધોવા અને સાફ પાણી અને પાણીને ઉકાળીને પીવુ, જો તે સુરક્ષિત નળમાંથી ન આવેલુ હોય.
  • માતાપિતાએ બાળકની પ્રવૃતિઓ ઉપર ધ્યાન રાખવુ જોઇએ અને તેના રમકડા જેની સાથે તે રમે છે તેની કાર્યપદ્ધતિ જાણવી જોઇએ.
https://ladiesplans.blogspot.com/             

Comments

Popular posts from this blog

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

ગર્ભપાત

Health is the first step in life. https://ladiesplans.blogspot. com/               પ્રાસ્તાવિક ગર્ભપાત કેટલીકવાર ગર્ભાવસ્થા સમાપ્તિ તરીકે ઓળખાય છે, જે સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની તબીબી પ્રક્રિયા છે જેના પરિણામે બાળકનો જન્મ થતો નથી.ગર્ભપાત કરાવવાનો નિર્ણય મુશ્કેલ છે. તમે ગર્ભપાત કરાવવાનું શા માટે નક્કી કરો છો તેનાં ઘણાં કારણો છે - ઉદાહરણ તરીકે, તમારા વ્યકિતગત સંજોગો, તમારા આરોગ્યનું જોખમ, અથવા તમારા બાળકને કોઈક તબીબી પરિસ્થિતિ ઊભી થાય તેવી તક હોઇ શકે. ઘણાં લોકો ગર્ભપાત અંગે (તરફેણમાં અને વિરુદ્ધમાં) જલદ અભિપ્રાયો ધરાવે છે. તમામ મંતવ્યોને આદર આપવો જોઈએ, યુ.કે.માં સગર્ભાવસ્થાનાં પ્રથમ 24 અઠવાડિયા દરમિયાન ગર્ભપાત કરાવવો કાયદેસર છે, પરંતુ તે અંગે કેટલાક માપદંડો પરિપૂર્ણ કરવાના હોય છે.તમે NHS પર, કે ખાનગી રીતે ગર્ભપાત કરાવી શકો છો (NHS ખાનગી ગર્ભપાતો માટે નાણાં આપતું નથી). યુ.કે.ના કાયદા અન્વયે, તમારી પાસે બે ડોકટરોનો સંદર્ભ હોવો જોઈએ, જેઓ તમારા સંજોગો માટે ગર્ભપાત યોગ્ય છે તે અંગે સંમત હોવા જોઈએ. કાર્યપદ્ધતિ હોસ્પિટલમાં, કે નિષ્ણાત લાયસન્સયુક્ત દવાખાના...

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...