Skip to main content

ગર્ભવતી મહિલાઓ માટે ફોલિક એસિડ ખાસ જરૂરી

Health is the first step in life.

ગર્ભસ્થ માતાના શરીરમાં ફોલિક એસિડની ઉણપના કારણે જન્મનાર બાળકને હૃદય અથવા કરોડરજ્જૂની ખામી આવી શકે છે. મેડિકલ ભાષામાં આ પરિસ્થિતિને ન્યુરલ ટ્યૂબ ડિફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થિતિમાં બાળકના મણકા વચ્ચે જગ્યા રહી જતી હોય છે અને તે ભાગ ધીમેધીમે ઉપસવા લાગે છે. ગાંઠ સ્વરૂપે દેખાતા આ ભાગના કારણે ઘણી વખત બાળકોનો સંડાસ-બાથરૂમ પર કાબૂ રહેતો નથી અથવા પગમાં લકવાની અસર થઈ શકે છે.
મહિલા ગર્ભધારણ કરે તે બાદના બે અઠવાડિયામાં ગર્ભસ્થ બાળકની કરોડરજ્જૂનો વિકાસ થતો હોય છે. આથી દંપતી બાળકનું પ્લાનિંગ કરે તે અગાઉથી શરીરમાં ફોલિક એસિડની ઉણપ ન સર્જાય તે માટે સચેત રહેવું જોઈએ. ફોલિક એસિડની ઉણપને સમયસર દૂર ન કરવામાં આવે તો જન્મનાર બાળક ખોડ-ખાંપણ સાથે જન્મી શકે છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી વિપુલ પ્રમાણમાં ફોલિક એસિડ મળી શકે છે. આ ઉપરાંત માર્કેટમાં ફોલિક એસિડની ટેબલેટ પણ ઉપલબ્ધ છે જેનો માતા અથવા બાળક પર કોઈજ સાઈડ ઈફેક્ટ થતી નથી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રિક સર્જરી વિભાગમાં ફોલિક એસિડની ઉણપના કારણે ખોડ-ખાંપણ સાથે જન્મેલા બાળકોની સર્જરી કરવામાં આવે છે. એક અંદાજ મુજબ જન્મજાત ખોડ સાથે સિવિલમાં સર્જરી માટે આવતા બાળકો પૈકી 15 બાળકો ફોલિક એસિડની ઉણપના કારણે આવ્યા હોય છે. ન્યુરલ ટ્યૂબ ડિફેક્ટના બાળકોની કરોડરજ્જૂની ઉપરના ઉપસેલા ભાગનું લેયર ઘણું જ પાતળું હોય છે તેથી કેટલાક કિસ્સામાં તે ભાગની ચામડી ફાટવાની શક્યતા રહેલી હોય છે. એક વખત ચામડી ફાટે તો ત્યાં ઈન્ફેક્શન થઈ શકે છે જે ઘણા કિસ્સામાં મગજ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતમાં સમયસર સર્જરી કરાવવી વધુ હિતાવહ છે. કેટલાક કેસમાં સર્જરી એડવાઈઝેબલ નથી હોતી, કારણ કે કરોડરજ્જૂની ગાંઠના કારણે મગજમાં પણ પાણીનો ભરાવો થઈ ગયો હોય છે. આવા બાળકોનું આયુષ્ય ઘણું લાબું નથી હોતું.
નવજાત શિશુ અને માતાઓ માટે સરકારના ઘણા પ્રોગ્રામ કાર્યરત છે જેમાં માતાને ફોલિક એસિડની ટેબલેટ નિઃશુલ્ક આપવામાં આવે છે. માતા બાળક માટે પ્લાનિંગ કરે ત્યારથી ફોલિક એસિડની ટેબલેટ શરૂ કરી દેવી તે વધુ હિતાવહ છે. આ ટેબલેટ તમામ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સહેલાઈથી મળી શકે છે.


Comments

Popular posts from this blog

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હ...