Skip to main content

તંદુરસ્ત બાળક માટે સફળ પ્રસૂતિ

Health is the first step in life.

પ્રસૂતિ માટેની જગ્યા કઈ રીતે પસંદ કરવી જોઈએ?, હોસ્પિટલ કે ઘેર? કોના દ્વારા કરાવવી?, સામાન્ય રીતે દૂરના ગામડાંની બહેનોને આ પ્રશ્ન મૂંઝવતો હોય છે.
નીચે મુજબ જણાવેલ સંજોગોમાં હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવાનું જરૂરી છેઃ

પ્રથમ સુવાવડ

  • નવ મહિના કરતાં વહેલી સુવાવડ થવાની સંભાવના હોય.
  • માતાનું વજન શરૂ કરતાં ઓછું વધ્યું હોય અથવા ગર્ભમાંનું બાળક નબળું લાગતું હોય.
  • નવ મહિના દરમિયાન ક્યારેક રક્તસ્ત્રાવ થયો હોય.
  • બાળક ઓછું ફરક્તું હોય.
  • વારંવાર કસુવાવડ કે અધૂરા મહિને સુવાવડ થઈ જતી હોય.
  • બાળક આડું હોય કે ઊંધું હોય.
  • બાળક ગર્ભમાં મૃત્યુ પામેલું હોય.
  • પ્રસૂતિનું દર્દ શરૂ થતાં પહેલાં ગર્ભજળ (પાણી) પડવાનું શરૂ થઈ ગયું હોય.
  • અગાઉની ડિલિવરી, પેટ પર ચીરો (સિઝેરીયન ઓપરેશન) કરીને કરવામાં આવેલી હોય તો, ત્યાર પછીની બધી ડિલિવરીઓ હોસ્પિટલમાં કરાવવી જરૂરી છે.
  • શરીર પર ખૂબ સોજા થઈ જાય, ફિકાશ વધારે હોય, શ્વાસ ચડતો હોય, અસહ્ય માથાનો દુખાવો થાય, આંખે ઝાંખપ આવે, કમળો થયો હોય વગેરે.

પ્રસૂતિ ઘરે કરાવતી વખતે શી તકેદારીઓ જરૂરી છે?


  • પ્રસૂતિ કરાવનાર બહેને દાયણની ટ્રેનિંગ લીધેલી હોવી જોઈએ.
  • પ્રસૂતિ માટે મમતા કીટમાં હાથમાં પહેરવાના મોજા, એક નવી બ્લેડ, ચોખ્ખો કરેલો નાડ પર બાંધવાનો દોરો, રૂ વગેરે હોય છે જે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળે છે.
  • પ્રસૂતિ દરમિયાન વપરાતાં સાધનો જીવાણુ જંતુમુક્ત કરવાના હોય છે.
  • પ્રસૂતિ પહેલાં અને બાદમાં નવશેકા પાણીમાં ડેટોલ નાખીને બાહ્ય પ્રજનન અંગો સાફ કરવામાં આવે છે.
  • નાડ કાપવા માટે નવી બ્લેડનો ઉપયોગ કરવો હિતાવહ છે. જો તે ન હોય તો ગરમ પાણીમાં ઉકાળેલી છરી કે કાતર વાપરી શકાય. કાટ ખાધેલા કે માટીવાળું દાતરડું કે છરી ન જ વાપરવાં.
  • બાળકની નાડ બાંધવા માટે ચોખ્ખો દોરો હોવો જરૂરી છે.
  • જો ઉપરની તકેદારીઓ ન રાખવામાં આવે તો બાળક અથવા માતાને ધનુરવા થવાની શક્યતા રહે છે.
  • બાળકના જન્મ પછી ઓળ બહાર આવી ગયા બાદ ગર્ભાશયને હળવા હાથે મસાજ કરવી જોઈએ. જેથી તેની અંદરનો બગાડ બહાર નીકળી જાય અને તેની સંકોચવાની પ્રક્રિયાને વેગ મળે.
  • પ્રસૂતિ બાદ યોનિમાર્ગ ડેટોલવાળા નવશેકા ગરમ પાણીથી સાફ કરીને, ચોખ્ખા કપડાંમાં વચ્ચે રૂ મૂકીને તેનું પેડ જેવું બનાવીને આપવાથી પ્રસૂતિ પછીના વધુ રક્તસ્ત્રાવને તેમાં સમાવી શકાય છે. શરૂઆતમાં રોજ ત્રણથી ચાર પેડ બદલવાં પડે છે જે સામાન્ય છે. જો આના કરતાં પણ વધુ પ્રમાણમાં રક્તસ્ત્રાવ થાય તો ડોકટરી સલાહની જરૂર પડે

Comments

Popular posts from this blog

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હ...