Skip to main content

ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર થાય ત્યારે સાવ ગભરાઇ ન જવું

Health is the first step in life.

મેડિકલ ક્ષેત્રે હાર્ટ અને ઓર્થોપેડિકને લગતી તકલીફો બાદ આજકાલ સૌથી વધુ કેસો ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરને લગતા હોય છે. વર્તમાન જમાનાની આ કમનસીબી છે. આજકાલની જીવનશૈલી, ખોરાક પદ્ધતિ અને ટેન્શનને કારણે માણસના ચેતાતંત્રને લગતી તકલીફો વધતી ચાલી છે. અઠવાડિયામાં એકાદવાર માથું ન દુ:ખ્યું હોય એવા કેટલા લોકો હશે/ માઇગ્રેન, વર્ટિગો, પાર્કિન્સન, સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ, હાઇપર એક્ટિવિટી, માયસ્થેનિયા જેવા શબ્દો આજથી કેટલાંક વર્ષ પહેલાં આપણામાંના કેટલા લોકોએ સાંભળ્યા હતા, કહો જોઉં! આજે હાલતાં ને ચાલતાં આ શબ્દો કાને પડવા લાગ્યા છે. વધી ગયેલી ન્યૂરોલોજિકલ તકલીફો હાર્ટ કે કિડનીને લગતા રોગો કરતાં પણ ઘણી બધી રીતે ગંભીર છે. સમાજની સામે આ બધા નવા પડકારો ખડા થયેલા છે. જેનો સામનો કરી, તેની ગંભીરતાને ઓછી કરવા અને આ તકલીફોનું કેવી રીતે નિવારણ થઇ શકે છે એ માટે નામાંકિત ન્યૂરોલોજિસ્ટ અને પદ્મશ્રી ડો. સુધીરભાઇ શાહ અને એમનાં ન્યૂરોલોજિસ્ટ દીકરી ડો. હેલી એસ. શાહે આ પુસ્તક મારફતે સાચો રાહ ચીંધવાનું એક પુણ્યકાર્ય કર્યું છે. ન્યૂરોલોજીના ક્ષેત્રે ‘ડો. સુધીરભાઇ શાહ’ નામ જ કાફી છે. એકેડેમિક અને સામાજિક ઉમદા પ્રદાન માટે તેમને ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ એવોર્ડ અર્પણ થયેલો છે. તેઓ વી.એસ.જનરલ હોસ્પિટલના ન્યૂરોલોજી વિભાગના વડા, સિનિયર કન્સલ્ટન્ટ અને પ્રોફેસર છે. જ્યારે ડો. હેલી એસ. શાહ વી.એસ.જનરલ હોસ્પિટલનાં ન્યૂરોલોજી વિભાગનાં રેસિ.ડી.એમ. છે.
આજે તો એવી હાલત છે કે ઘણા કેસોમાં તો ખબર પણ પડતી નથી કે આ કેસ ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરને લગતો છે. બાપડા લોકો ક્લિનિક-હોસ્પિટલોનાં ચક્કર કાપ્યા કરે છે. ન્યૂરોલોજિકલ તકલીફ કેટલી વ્યાપક અસરકર્તા હોય છે, એની સાચી માહિતી આ પુસ્તક થકી મળી શકે છે. પેશન્ટને એજ્યુકેટ અને અવેર કરવાનો માનવીય પ્રયત્ન પુસ્તકમાં કરાયો છે. ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરને લગતી જે કંઇ વિગતો તેમાં રજૂ કરાઇ છે, તે ઓથેન્ટિક અને પૂરતા રિચર્સ સાથેની છે. વળી તેમાં ઉમેરાઇ છે આ ન્યૂરોનિષ્ણાત પિતા-પુત્રીની સક્ષમતા, સહૃદયતા, સરળતા અને સ્પષ્ટતા. જાણે તેનાથી સોનામાં સુગંધ ભળી છે. આ તો ન્યૂરોલોજિકલ તકલીફોને લગતો જાણે નાનકડો એન્સાઇક્લોપિડિયા છે, જે પરોપકાર-જનહિત અને માત્ર ઉમદા હેતુથી તૈયાર કરાયો હોવાનું તેની ભાષા, સ્વરૂપ, સ્ટાઇલ અને કન્ટેનેટ પરથી જણાય છે.
સામાન્ય રીતે કોઇને ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર થયાનું માલુમ પડે એટલે દર્દી અને તેના પરિવારમાં સન્નાટો ફેલાઇ જાય છે. એટલે આ પુસ્તકનો મૂળ હેતુ દર્દ માટેની નકારાત્મકતાઓ છોડીને સાચી દિશાના ઇલાજો કરી હકારાત્મક અભિગમ પ્રત્યે દોરવા માટેનો છે. ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરની તકલીફ તો તકલીફ હોય છે, જ પણ આ પુસ્તકનાં ૨૭ પ્રકરણોમાં જે રીતે વિગતો રજૂ થઇ છે, તે સાવ સમજાય એવી અને ખાસ તો દર્દીને ઉપયોગી બને એવી છે. દર્દી, તેના પરિવાર અને દર્દીની સંભાળની બાબતને કેન્દ્રમાં રખાઇ છે. સાથે દર્દી અને તેના પરિવારના સંપર્કમાં આવતા ફિઝિશિયન્સ, મેડિકલ સ્ટુડન્ટ્સ, પેરામેડિક્સ, ફિઝિયોથેરાપિસ્ટ્સ અને નર્સિસને પણ ઉપયોગી બની રહે એવો અભિગમ પણ રખાયો છે. એ સાથે ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર જેવું દર્દ ન થાય તે માટેનાં તકેદારીના ઉપાયો તેમજ સમયસરના નિદાન વગેરે વિષે પણ સાદી-સરળ-સ્પષ્ટ ભાષામાં જણાવાયું છે.
એટલું જ નહીં પણ આંકડાકીય માહિતીઓ અને આકૃતિઓ-ગ્રાફ્સ વગેરે મારફતે શક્ય એટલી વધુ જાણકારી આપવાનો પ્રયાસ કરાયો છે. જેમને કે જેમનાં સ્વજનોને આ દર્દ ન હોય પણ ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર જેવા બહુપારિમાણિક વિષયની જાણકારી મેળવનારા જિજ્ઞાસુઓ માટે પણ આ પુસ્તક એટલું જ ઉપયોગી છે. પુસ્તકના દરેક પ્રકરણના પ્રારંભે ખાસ ક્વોટ અપાયું છે અને અંતે પ્રકરણના નિચોડરૂપ વિગતો પણ રજૂ કરાઇ છે. પુસ્તકના પ્રકરણોમાં નર્વસ સિસ્ટમ, બ્રેઇનનું ઇમેજિનેશન, કોમા, એપિલેપ્સી, સ્ટ્રોક, માથાનો દુ:ખાવો, માઇગ્રેન, વર્ટિગો, ડાયસ્ટોનિયા, પાર્કન્સનિઝમ, સેરેબ્રલ ડિસઓર્ડર, ડિમેન્શિયા, સ્લીપ ડિસઓર્ડર, બ્રેઇન ટ્યુમર, હાયપર એક્ટિવિટી ડિસઓર્ડર, સ્પાઇનલ કોડ ડિસીસ વગેરે વિષે ડિટેઇલ્સ સાથે ચર્ચા કરાઇ છે. ઉપરાંત સ્ટ્રેસ કેવી રીતે ઓછો કરવો અને યાદશક્તિ કેવીરીતે વધારવી તેની પણ ટિપ્સ સાથેની ડિટેઇલ્સ છે. એઇડ્સ કે એચઆઇવી નર્વસ સિસ્ટમને કેવી રીતે અસર કરે છે તેને પણ આવરી લેવાયું છે. કોમન સાઇકિયટ્રિક ડિસઓર્ડરની પણ ચર્ચા કરાઇ છે. ન્યુરોસર્જરીની પણ વિશદ જાણકારી માટે પુસ્તકમાં એક અલાયદું પ્રકરણ છે. ન્યુરોલોજિકલ તકલીફ માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીને માટેની પણ ટિપ્સ અપાઇ છે. એટલું જ નહીં પણકેટલીક સામાન્ય રીતે વપરાતી ન્યુરોલોજિકલ દવાઓની સાઇડ ઇફેક્ટ્સ વિષે પણ પુસ્તકમાં ખાસ ચર્ચા કરાઇ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુસ્તક માટે ખાસ શુભેચ્છાસંદેશો પાઠવીને એવી આશાઓ વ્યક્ત કરી છે કે સરળ અને માહિતપ્રદ શૈલીમાં લખાયેલું આ પુસ્તક ન્યૂરોલોજી ક્ષેત્રે વધુ સારા નિદાન-ઇલાજ માટે ઉપયોગી બની રહેશે એવી આશાઓ વ્યક્ત કરી છે. પુસ્તકનો ફોરવર્ડ મેસેજ સુવિખ્યાત ન્યૂરોલોજિસ્ટ અને બોમ્બે હોસ્પિટલના ન્યૂરોલોજિકલ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડો. બી.એસ.સિંઘલે લખ્યો છે. તેમણે આ પુસ્તકને ન્યૂરોલોજીના ક્ષેત્રની જાણકારીઓના ભંડાર તરીકે ગણાવીને તેની સરળ જાણકારી ન્યૂરોલોજિકલ તકલીફોના સંદર્ભે સમાજને ખૂબ માર્ગદર્શક અને ઉપયોગી બની રહેશે એવી આશાઓ વ્યક્ત કરી છે

https://ladiesplans.blogspot.com/

Comments

Popular posts from this blog

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હ...