Skip to main content

સગર્ભાવસ્થા દરમિયાન જરૂરી આરામ તથા વ્યાયામ

Health is the first step in life.

ગર્ભવતી બહેનો પોતાનું રોજિંદું કાર્ય કરી શકે છે, પરંતુ ભારે વજન ઊંચકવાનું કામકાજ અથવા તો ભારે કસરતો કરવી હિતાવહ નથી. સામાન્ય રીતે રાત્રે ૮ કલાક તથા બપોરે ૨ કલાકનો આરામ જરૂરી હોય છે. જો ભારે જવાબદારીવાળો વ્યવસાય હોય કે લાંબો સમય બેઠા રહેવું પડતું હોય તો તેવો વ્યવસાય કરતી બહેનોને બાળકનું વજન બરાબર ન વધે, ગર્ભની આસપાસનું પ્રવાહી સુકાઈ જાય વગેરે પ્રશ્નો થઈ શકે છે. આ પ્રમાણેના શારીરિક આરામ ઉપરાંત માનસિક આરામ અને આનંદિત જીવન જરૂરી છે. આ સમય દરમિયાન ગર્ભવતી બહેનોએ મનગમતું કાર્ય, ભરતગૂંથણ, ચિત્રકલા, સંગીત વગેરેમાં મન પરોવવું આવકાર્ય છે.

સગર્ભાવસ્થા દરમિયાન કસરત કરવાના ફાયદા

કસરતો શારીરિક અને માનસિક રીતે સંતોષ ઉત્પન્ન કરનારી હોય છે. તેના બીજા ફાયદાઓ નીચે પ્રમાણે છે.

પ્રસૂતિ માટે તૈયાર કરે છે

સુસંગઠિત સ્નાયુઓ અને સ્વચ્છ હૃદય પ્રસૂતિને ખરેખર વધારે સરળ બનાવે છે. શ્વાસોચ્છ્વાસ પર ગર્ભવતી બહેનનો કાબૂ, દુખાવો સહન કરવા માટે ઉપયોગી નીવડે છે અને પ્રસૂતિના લાંબા દુઃખદાયી પ્રસંગને ધીરજપૂર્વક સહન કરવાની શક્તિ આપે છે.

મન આનંદિત રહે છે

જરૂર પ્રમાણેની કસરતોથી કમરનો દુખાવો મટી શકે છે. આ કસરતો ખાસ કરીને કમર, પેટ અને જાંઘના સ્નાયુઓને સંગઠિત કરે તેવી હોય છે. તેનાથી આંતરડાનું કામ વધુ પ્રજ્વલિત બનવાથી ગેસનું પ્રમાણ ઘટાડે છે. સગર્ભાવસ્થાના અંતઃસ્ત્રાવોથી સાંધાઓ ઢીલા પડયા હોય તેને પણ સુસંગઠિત કરે છે.
મગજમાંથી ‘એન્ડોર્ફીન’ નામનો રાસાયણિક પદાર્થ ઉત્પન્ન થાય છે : જેનાથી સગર્ભા બહેનોને આનંદ અને સંતોષની લાગણી થાય છે.

વ્યસનો

ગર્ભવતી બહેનોએ વ્યસનમુક્ત હોવું ખાસ જરૂરી છે. તમાકુનું સેવન, દારૂનું સેવન કરવાથી બાળકના વિકાસ પર આડ અસર થાય છે. જેને Intra Uterine Growth Retardation-IUGR કહે છે.

સગર્ભાવસ્થા દરમિયાન લેવાતી દવાઓ

સામાન્ય રીતે બધી જ દવાઓ માતાના લોહીમાં ભળતી હોય છે. આથી શરૂઆતના બેથી અઢી મહિના દરમિયાન ડોકટરી સલાહ વગર કોઈપણ પ્રકારની દવા લેવી જોઈએ નહીં.

સગર્ભાવસ્થા દરમિયાન લેવાતી રસીઓ

સગર્ભાવસ્થા દરમિયાન માતા અને ગર્ભસ્થ બાળક બંનેનું ધ્યાન રાખવું પડે છે. આથી અમુક રસીઓ બાળક અને માતા બંને માટે જરૂરી છે. જ્યારે અમુક રસીઓ માતા માટે જરૂરી છતાં બાળક માટે હાનિકારક હોય છે. સૌથી અગત્યની રસી ધનુરવા પ્રતિકારક રસી છે. જેનાં બે ઈન્જેકશન એકથી દોઢ મહિનાને અંતરે મૂકવામાં આવે છે. પહેલાં તે પાંચમા, છઠ્ઠા અને સાતમા મહિને આપવામાં આવતાં જે હવે મહિના રહ્યાની જાણ થતાં બને તેટલા જલદી મૂકવામાં આવે છે.
જો સગર્ભાવસ્થા દરમિયાન હડકવા, કમળો (હિપેટાઈટીસ બી), કોલેરા, પ્લેગ, વગેરે જેવા રોગના દર્દી સાથે સંપર્ક થયો હોય અથવા ઝેરી સાપ કરડયો હોય તો વિશેષ પ્રકારની રોગપ્રતિકારક રસી ઉપરાંત તેની રસી (Immunogbulins) મૂકી શકાય છે. કેમ કે રોગોથી માતાને જાનનું જોખમ ઊભું થાય છે અને જો માતાની જાન જોખમમાં મુકાય તે ગર્ભમાંના બાળકની જિંદગી પણ જોખમાય છે.


Comments

Popular posts from this blog

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હ...