Skip to main content

માનસિક બીમારીઓમાં ઓક્યુપેશનલ થેરાપીનું મહત્વ

Health is the first step in life.

માનસિક સ્વાસ્થ્ય એ એક બહુ વિશાળ અને રસપ્રદ વિષય છે. વ્યાખ્યા પર ન જતાં માનસિક સ્વાસ્થ્ય એટલે શું એમ જ્યારે આમ જનતાને પૂછવામાં આવે ત્યારે તેના ઉત્તર સ્વરૂપે, ‘જે વ્યક્તિ પોતાના રોજિંદા કાર્યો સારી રીતે ખુશ રહીને કરી શકે અથવા જે વ્યક્તિ ગુસ્સાને અને અન્ય નકારાત્મક ભાવને સારી રીતે હેન્ડલ કરી શકે તેવા વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય સારૂ છે' એમ જણાવતા હોય છે. આ ઉપરછલ્લી જાણકારી ધરાવતી પ્રજામાં માનસિક બીમારીઓ અંગે કેટલું જ્ઞાન હશે?.
માનસિક બીમારી અંગે સામાન્ય રીતે લોકો એવું કહેતા જોવા મળે છે કે, “ડિપ્રેશનમાં છે” અથવા “છટકી ગયું છે” અથવા વધુમાં સ્કીઝોફ્રેનિયા લાગે છે. આવું જણાવતા લોકો કદાચ એ નહીં જાણતા હોય કે જેમ અલગ અલગ શારીરિક બીમારીઓ છે એમ ડાયગ્નોસ્ટીક સ્ટેટેસ્ટીકલ મેન્યુઅલ (DSM) દ્વારા માનસિક બીમારીઓના નામ, પ્રકાર સાથે વિભિન્ન માનસિક બીમારીઓ વચ્ચેનો સુક્ષ્મ તફાવત પણ દર્શાવવામાં આવ્યો છે..
બાળક, યુવાન કે વૃધ્ધ કોઈ પણ વ્યક્તિ જીવનના કોઈપણ તબક્કામાં માનસિક બીમારીનો ભોગ બની શકે છે. જેની પાછળ વારસાગત, સામાજિક, વ્યક્તિગત, વાતાવરણકીય સહિતના વિભિન્ન કારણો હોઈ શકે છે. દરેક માનસિક બીમારી વ્યક્તિને સમાજમાં સુરક્ષિત રહેવાનો અને સારવાર મેળવવાનો અધિકાર છે. શરૂઆતની માનસિક બીમારીમાં બીમારીની ગંભીરતા જો ઓછી હોય તો સામાન્ય રીતે વ્યક્તિની સારવાર સાઈકીયાટ્રીક ક્લિનીકમાં થતી જોવા મળે છે જ્યાં સાઈકીયાટ્રીસ્ટ સાયકોલોજીસ્ટ મુખ્ય ભૂમીકા ભજવે છે પરંતુ, જ્યારે માનસિક બીમારી લાંબાગાળાની અને વધુ હાનિકારક થઈ જાય ત્યારે મલ્ટીસ્પેશિયાલિસ્ટ ટીમની જરૂર પડે છે જેમાં સાઈકીયાટીસ્ટ ઉપરાંત સાયકોલોજીસ્ટ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, સોશિયલ વર્કર, સાઈકીયાટ્રીક નર્સ, ફિઝીશિયન વગેરેનો સમાવેશ થાય છે..
વધુ ગંભીર લાંબાગાળાની માનસિક બીમારીવાળા દર્દીઓમાં રોજીંદા કાર્ય જેવા કે ન્હાવાધોવા, ખાવાપીવાનો અભાવ, ઉંઘનો અભાવ, સામાજિક રીતે નિષ્ક્રીય થવું અથવા બિન ઉદેશ રખડ્યા કરવું, આપઘાતના વિચાર આવવા કે પ્રયત્ન કરવો અથવા કોઈના ઉપર શારિરીક હુમલો કરવા જેવા લક્ષણો જોવા મળી છે. આવી આઉટ ઓફ કંટ્રોલ પરિસ્થિતીમાં આવા દર્દીઓ માટે સાઈકીયાટ્રીક ડે કેર સેન્ટર, હાફ વે હોમ, સુપરવાઈઝ્ડ હાઉસિંગ શેલ્ટર્ડ વર્કશોપ, વોકેશનલ ગાઈડન્સ મદદરૂપ નિવડે છે..
આવા દર્દીઓમાં ઓક્યુપેશનલ થેરાપિસ્ટ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. સૌ પ્રથમ તો દર્દીનું એસેસમેન્ટ કરવું એ ઓક્યુપેશનલ થેરાપિસ્ટનું પ્રથમ કાર્ય છે. આ એસેસમેન્યમાં દર્દીના વિભિન્ન પાસાઓ તપાસવામાં આવે છે જેમકે
  1. માયકોમોટર એક્ટિવીટી જેમાં દર્દીને જોઈ વિચારી, સમજીને કાર્ય કરે છે કે કેમ તે તપાસવામાં આવે છે.
  2. દર્દીનું સેન્સરી પરસેપ્શન કેવું છે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતીને જેમ છે તેમ સમજી શકે છે કે ભ્રમ-ચિત્તભ્રમથી પિડાય છે તે જોવામાં આવે છે.
  3. કોગ્નીટીવ ફંક્શન જેમ કે, દર્દી પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે કે કેમ તેની નિર્ણય શક્તિ કેવી છે તે તપાસવામાં આવે છે.
  4. ઈન્ટ્રાપર્સનલ ફેક્ટર જેવા કે, સેલ્ફ કન્સેપ્ટ, સેલ્ફ એસ્ટીવ વગેરે કેવું છે તેની પણ તપાસ કરવામાં આવે છે.
  5. સેલ્ફ કેર એટલે કે દર્દી પોતાના રોજિંદા કાર્યો કરી શકે છે કે નહીં તે તપાસવામાં આવે છે.
  6. ઉત્પાદક્તા છે કે નહીં તે પણ તપાસવામાં આવે છે અને (7) ફ્રી સમયમાં કેવી પ્રવૃત્તિમાં રસ ધરાવે છે તેનું પણ એસેસમેન્ટ કરવામાં આવે છે..
દર્દીના એસેસમેન્ટ અને સારવાર માટે વિવિધ અભિગમનો ઉપયોગ ઓક્યુપેશનલ થેરાપીમમાં કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડાઈઝ ટેસ્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઓક્યુપેશનલ થેરાપીમાં મુખ્યત્વે હ્યુમનિસ્ટીક અભિગમ જેમાં ઓક્યુપેશનલ થેરાપિસ્ટ પોતાની જાતને દર્દીની જગ્યાએ રહીને દર્દીને કેવું ફિલ થાય છે, દર્દી કઈ કઈ સમસ્યાનો સામનો કરે છે તે ઉંડાણપૂર્વક અભ્યાસ કરે છે. જ્યારે અમુક થેરાપિસ્ટ ક્લાયન્ટ સેન્ટર અભિગમ અપનાવે છે જે દર્દી સહકાર નથી આપતા તેમને મનગમતી પ્રવૃત્તિ કરાવી પ્રોત્સાહિત કરી થેરાપીમાં સામેલ કરે છે. આવી જ રીતે કોગ્નીટીવ અભિગમમાં દર્દીના વિચાર, ગમા-અણગમા, ક્રિયા-પ્રતિક્રીયાનો ઉંડાણથી અભ્યાસ કરવામાં આવે છે. કોઈવાર એકથી વધુ અભિગમનો ઉપયોગ એક દર્દીમાં કરવામાં આવે છે.
દર્દીના એસેસમેન્ટ બાદ તેના એક્ઝાઈટી મેનેજમેન્ટ, પાસ્ટ એક્સ્પિરીયન્સ અને એનવાયરમેન્ટલ એડેપ્શનનો પણ ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે અને આ માટે ઓક્યુપેશનલ થેરાપિસ્ટ શોર્ટમગ લોંગ ટર્મ ગોલ એક્ટિવિટી, સ્ટ્રક્ચર્ડ-અનસ્ટ્રક્ચર્ડ એક્ટિવિટી, કોવર્ટ એક્ટિવિટી, ગોલ ડાયરેક્ટ એક્ટિવિટી વહેરે દ્વારા દર્દીના સંપૂર્ણ વિકાસ અને પ્રસ્થાપનના પ્રયાસ કરે છે.જે દર્દીના રોજિંદા કાર્યો ખોરવાઈ ગયો હોય તેમને ડેઈલી લિવીંગ એક્ટિવિટી કરાવી તેને સ્વાવલંબી બનાવવામાં આવે છે. સેલ્ફ અવેરનેસ, સેલ્ફ એક્સેપ્ટન્સ અને સેલ્ફ એસ્ટીમની માંગ વધે તેવી પ્રવૃત્તિ પણ કરાવાય છે.
બાળક, યુવાન કે વૃધ્ધ કોઈ પણ વ્યક્તિ જીવનના કોઈપણ તબક્કામાં માનસિક બીમારીનો ભોગ બની શકે છે જેની પાછળ વારસાગત, સામાજિક, વ્યક્તિગત, વાતાવરણ સંબંધિત વિભિન્ન કારણો હોઈ શકે છે

Comments

Popular posts from this blog

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હ...