Skip to main content

સર્વિકલ કેન્સર

ગર્ભાશયની ડોકના (સર્વિકલ) કેન્સરનો અટકાવ
સર્વિકલ કેન્સર હવે રસીથી અટકાવી શકાય સંબંધોનું રક્ષણ સ્ત્રીત્વનો સાર છે, તે કુટુંબ અથવા પોતે જીવન હોય. આ રક્ષણ ખાસ કરીને ત્યારે તીવ્ર થાય જ્યારે સર્વિકલ કેન્સરની વાત આવે. ભારતમાં સર્વિકલ કેન્સર મહિલાઓમાં કેન્સરથી થતા મૃત્યુમાં પ્રથમ શ્રેણીએ આવે છે. (સ્તન કેન્સર કરતા વધારે).

સર્વિકલ કેન્સર શું છે?


સર્વિકલ કેન્સર ગર્ભાશયની ડોકનું કેન્સર છે. ગર્ભાશયની ડોક ગર્ભાશયના પ્રવેશદ્વારમાં સ્થિત છે અને રોગસંક્રમણ ગર્ભાશય સુધી પહોચતા અટકાવે છે.

સર્વિકલ કેન્સર કેવી રીતે થાય છે?

સર્વિકલ કેન્સર વાયરસના ચેપથી થાય છે - હ્યુમન પેપિલોમા વાઈરસ (એચ.પી.વી) જે સર્વિક્સને ચેપ લગાડે છે. આ વાઈરસ ખૂબ સામાન્ય છે અને આનો ફેલાવો પ્રજનન વિસ્તારના સંપર્ક દ્વારા થાય છે. આ વાયરલ ચેપ હવે રસીકરણ દ્વારા અટકાવી શકાય છે. આ કેન્સર વારસાગત નથી.

સર્વિકલ કેન્સર કોને થઇ શકે છે?




નાની ઉંમરની મહિલાઓને આ એચ.પી.વી ચેપ લાગવાનું સૌથી વધુ જોખમ છે જે ભવિષ્યમાં સર્વિકલ કેન્સરમાં પરિણમી શકે છે. જોકે, દરેક સ્ત્રીને સર્વિકલ કેન્સર થવાનું જોખમ છે, તેના ઉંમરને અનુલક્ષી તેના માટે કન્યાઓનું રક્ષણ જેટલું વહેલું થાય તેટલું સારું.

સર્વિકલ કેન્સરને કેવી રીતે ઓળખી શકાય ?

સર્વિકલ કેન્સર એવા કોઈ લક્ષણો નથી બતાવતું જ્યાં સુધી તે ઉન્નત તબક્કામાં પહોંચી ન ગયું હોય. યોનિમાંથી નીકળતાં ચીકણા પ્રવાહીનું (પેપ સ્મીયર) પરીક્ષણ માત્ર સર્વિકલ કેન્સરને પ્રારંભિક તબક્કે શોધી શકે છે. યાદ રાખો કે પેપ સ્મીયર એચ.પી.વી ચેપ શોધે છે તે ચેપને પ્રથમ સ્થાને રોકી નથી શકતું.

સારા સમાચાર! સર્વિકલ કેન્સરને હવે અટકાવી શકાય
  • રસીકરણ સર્વિકલ કેન્સરને થતા બહુ પહેલાથી અટકાવી શકે છે.
  • રસીકરણ શરીરમાં વાયરસ સામે એન્ટિબોડીઝ ઉત્પન્ન કરવાનું કામ કરે છે.
  • આ એન્ટિબોડીઝ એચપીવી ચેપ સામે શરીરને રક્ષણ આપે છે; વાયરસ સામે લડત આપી જયારે તે સર્વિક્સ પર હુમલો કરે છે.
  • સર્વિક્સને એચપીવી ચેપ સામે રક્ષણ આપી રસીકરણ સર્વિકલ કેન્સર સામે રક્ષણ આપે છે.

કોણે રસી લેવી જોઈએ?

આ રસીકરણ કરવાનો શ્રેષ્ઠ સમય છે છોકરીયો જયારે કિશોરાવસ્થામાં હોય, કારણ કે તે સમય છે જ્યરે સહુથી ઉત્તમ પ્રતિકાર પ્રતિભાવ મેળવી શકાય. જોકે, બધી સ્ત્રીઓને સર્વિકલ કેન્સર થાવનું જોખમ રહે છે તો તમારા ડૉક્ટરને પૂછો કે આ રસીકરણ તમારી માટે યોગ્ય છે કે નહી.

રસી કેવી રીતે અપાય છે? શું તે સુરક્ષિત છે?

આ રસીકરણ ૩ ડોઝ/ઇન્જેક્શન દ્વારા ૬ મહિનાના સમયગાળામાં આપવામાં આવે છે. આ રસી સલામત અને સારી સહન કરી શકાય તેમ છે. અન્ય રસી જેમ, થોડો તાવ અથવા સોજો, જેવી હળવી પ્રતિક્રિયાઓ આ રસીકરણ પછી જોઈ શકાય છે.

Comments

Popular posts from this blog

ગર્ભપાત

Health is the first step in life. https://ladiesplans.blogspot. com/               પ્રાસ્તાવિક ગર્ભપાત કેટલીકવાર ગર્ભાવસ્થા સમાપ્તિ તરીકે ઓળખાય છે, જે સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની તબીબી પ્રક્રિયા છે જેના પરિણામે બાળકનો જન્મ થતો નથી.ગર્ભપાત કરાવવાનો નિર્ણય મુશ્કેલ છે. તમે ગર્ભપાત કરાવવાનું શા માટે નક્કી કરો છો તેનાં ઘણાં કારણો છે - ઉદાહરણ તરીકે, તમારા વ્યકિતગત સંજોગો, તમારા આરોગ્યનું જોખમ, અથવા તમારા બાળકને કોઈક તબીબી પરિસ્થિતિ ઊભી થાય તેવી તક હોઇ શકે. ઘણાં લોકો ગર્ભપાત અંગે (તરફેણમાં અને વિરુદ્ધમાં) જલદ અભિપ્રાયો ધરાવે છે. તમામ મંતવ્યોને આદર આપવો જોઈએ, યુ.કે.માં સગર્ભાવસ્થાનાં પ્રથમ 24 અઠવાડિયા દરમિયાન ગર્ભપાત કરાવવો કાયદેસર છે, પરંતુ તે અંગે કેટલાક માપદંડો પરિપૂર્ણ કરવાના હોય છે.તમે NHS પર, કે ખાનગી રીતે ગર્ભપાત કરાવી શકો છો (NHS ખાનગી ગર્ભપાતો માટે નાણાં આપતું નથી). યુ.કે.ના કાયદા અન્વયે, તમારી પાસે બે ડોકટરોનો સંદર્ભ હોવો જોઈએ, જેઓ તમારા સંજોગો માટે ગર્ભપાત યોગ્ય છે તે અંગે સંમત હોવા જોઈએ. કાર્યપદ્ધતિ હોસ્પિટલમાં, કે નિષ્ણાત લાયસન્સયુક્ત દવાખાના...

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...