Skip to main content

માસિક મુશ્કેલી

Health is the first step in life.

વિશ્વની તમામ મહિલાઓને દર મહિને ભોગવવી પડતી માનસિક અને શારીરિક પીડા હવે એક સામાન્ય દવાનો સાવ નાનો અમથો ડોઝ થોડા દિવસ લેવાથી દૂર થઈ જાય તેવું સંશોધન તાજેતરમાં નિષ્ણાતોએ કર્યું છે. પીએમએસ કહેવાતી માસિક અગાઉના દિવસોની માનસિક અને શારીરિક યાતના દરેક મહિલાએ ભોગવવી પડે છે. શરીરને સાવ શક્તિહીન બનાવી દે તેવી સ્નાયુની ધ્રુજારી અને વારંવાર બદલાતા મૂડનો કોઈ ઈલાજ નહોતો. હવે નિષ્ણાતોએ શોધી કાઢયું છે કે પ્રોઝેક નામની હતાશા દૂર કરનાર છૂટથી વપરાતી દવાના સાવ હળવા ડોઝ લેવાથી આ તકલીફો દૂર થઈ જાય છે.
મહિલાઓની માસિક મુશ્કેલી દૂર કરી આપતી દવાની શોધ પહેલી જ વખત ન્યૂરોસાયન્ટિસ્ટ કહેવાતા મનોવિજ્ઞાાનીઓએ માસિક અગાઉના દિવસોમાં મહિલાઓના શરીરમાં સેક્સ હોર્મોનની વધઘટ કરાવતા શારીરિક કારણને શોધી કાઢયું છે. યુનિર્વિસટી ઓફ ર્બિંમગહામના થેલ્મા લોવિકની આગેવાનીમાં સંશોધકોએ શોધી કાઢયું હતું કે મહિલાઓના એક ચોક્કસ સેક્સ હોર્મોન ઝરવાથી માસિક અગાઉના દિવસોના લક્ષણો દેખાવા લાગે છે. આ જ હોર્મોન મહિલાઓમાં માસિક ચક્રના અંતે શરીરમાં ઝરે છે. • છૂટથી વપરાતી એક દવાના ચોક્કસ દિવસોમાં હળવા ડોઝથી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય પ્રોઝેકના નામે ઓળખાતી ફ્લુઓક્ષેટિન દવાનો નાનો અમથો ડોઝ લેવાથી આ હોર્મોન ઝરતું અટકે છે. અને હોર્મોન ન ઝરવાથી મહિલાને થતી મુશ્કેલીઓ પણ થતી નથી. થેલ્મા લોવિકે જણાવ્યું કે આમાં કોઈ નવી દવા નથી શોધાઈ, પ્રોઝેક વર્ષોથી સમગ્ર વિશ્વમાં છૂટથી વપરાઈ રહી છે.
માત્ર ચોક્કસ દિવસોમાં તેનો ઓછામાં ઓછો ડોઝ લેવાથી માસિકના દિવસોમાં જે રાહત થાય છે તે જ અમે શોધ્યું છે. સમગ્ર વિશ્વમાં મહિલાઓ માસિકની આ મુશ્કેલીઓ ભોગવતી રહી છે. બધાને આ મુશ્કેલીથી છૂટવાની તીવ્ર ઝંખના હોવા છતાં અત્યાર સુધી તેનો કોઈ ઉપાય નહોતો. હવે આ હકીકત જાણ્યા પછી એ બધી મહિલાઓ માસિકના ભયથી મુક્ત થઈ જશે. માસિક અગાઉના લક્ષણો બધી મહિલાઓમાં એકસરખા પ્રમાણમાં નથી હોતાં. દરેક મહિલામાં તેનું પ્રમાણ ઓછું-વધતું હોય છે. પરંતુ ૭૫ ટકા મહિલાઓ સરખાં જ લક્ષણો અનુભવતી હતી

Comments

Popular posts from this blog

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હ...