Skip to main content

પ્રસૂતિ દરમિયાનના ભયસૂચક ચિન્હો અને લક્ષણો

Health is the first step in life.

નીચેનામાંથી એક પણ નિશાની જણાય તો પ્રસૂતાને તાત્કાલિક નજીકના દવાખાનામાં ખસેડવી જોઈએ.
  • પ્રસૂતિના તબક્કાઓ તેના ઉચિત સમય કરતાં વધુ સમય સુધી પૂરા ન થાય.
  • ડિલિવરી થતાં પહેલાં બાળકની નાડ બહાર આવી જવી.
  • આંચકીઓ આવવી.
  • એકાએક અંધાપો આવી જવો.
  • પ્રસૂતિનો દુખાવો ખૂબ હોય, લાંબો ચાલ્યા બાદ એકાએક બંધ થઈ જાય.
  • બાળકની ડિલિવરી બાદ ઓર બહાર ન આવે. ખૂબ રક્તસ્ત્રાવ થાય કે ગર્ભાશયની કોથળી ઊંધી થઈને બહાર આવી જાય.
  • પ્રસૂતિ બાદ ખૂબ તાવ આવે, પેટમાં દુઃખે અને યોનિમાર્ગ વાટે પરુ આવે.

પ્રસૂતિ દરમિયાન નવજાત શિશુની સંભાળ

બાળકનો પ્રસવ થયા બાદ તરત જ તેનું મોં નાક પાતળા (મલમલ જેવા) રૂમાલથી સાફ કરી નાખવું જોઈએ.
બાળક જન્મ બાદ તરત જ ન રડે તો બાળકને ઊંધું ન કરવું. પગના તળિયે હળવી ટપલી મારવી કે ઠંડા-ગરમ પાણીની છાલક મારવી જેથી કરીને તે રડવા લાગશે. જો તો પણ ન રડે તો તેના મોં પર મોઢું મૂકીને બાળકને શ્વાસોશ્વાસ કરવામાં મદદ કરો ને બાળકને તત્કાલિક હોસ્પિટલમાં ખસેડો.
આખું શરીર કોરા કપડાંથી લૂછી લેવું જોઈએ અને ડેટોલમાં ધોઈને તડકામાં સૂકવેલા સ્વચ્છ સુતરાઉ કપડાંમાં બાળકને લપેટી દેવું જોઈએ.
બાળકને સ્વચ્છ, કોરા, ચોખ્ખા કપડાંમાં વીંટીને માતાની બાજુમાં સુવાડવામાં આવે છે અને તેને સ્તનપાન કરાવતાં શીખવવામાં આવે છે.

પિતાની ફરજો

પ્રસૂતિકાળ દરમિયાન પિતાએ તેની પત્નીની સાથે જ રહેવું જોઈએ અને તેને માનસિક આધાર આપવો જોઈએ. આથી પ્રસૂતા બહેનનું દુઃખ ઓછું થઈ જાય છે અને તેની દુઃખ સહન કરવાની નૈતિક હિંમત વધે છે.
તેમણે પત્નીના આરોગ્ય અંગે જાગ્રત રહીને જરૂર પડયે પત્નીને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી, બિનસરકારી હોસ્પિટલમાં ફેરવવા માટે તૈયાર રહેવું જોઈએ.
બે બાળક બાદ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવાની સંમતિ પણ સરળતાથી આપવી જોઈએ.

માતાના ધાવણની જરૂરિયાત અને ઉપયોગિતા


જન્મતાવેંત બાળકને માતાની બાજુમાં સુવાડીને સ્તનપાન કરાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આથી માતા અને બાળક વચ્ચેના ગાઢ સંબંધની શરૂઆત થાય છે અને તે ધાવણ ઝડપથી અને પૂરતા પ્રમાણમાં લાવવામાં મદદ કરે છે. માતાનું ધાવણ બાળકને ફક્ત પોષણ પૂરું પાડે છે એટલું જ નહિ, પરંતુ ખાસ કરીને શ્વસનતંત્ર અને આંતરડાના રોગો સામે રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. જેથી બાળક વારંવાર બીમાર પડતું નથી. તે કુદરતી રીતે જ આવે છે. તેનું મૂલ્ય અમૂલ્ય છે. માતાના ધાવણ અંગે વધુ માહિતી હવે પછીના એકમોમાં આપવામાં આવી છે.


Comments

Popular posts from this blog

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હ...